બાળકો માટે ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
તમામ પેરેન્ટ્સ ઈચ્છતા હોય છે કે તેઓ પોતાના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરે. પાછલા કેટલાક વર્ષોમાં શિક્ષણ અને ઉચ્છ શિક્ષણના ક્ષેત્રમાં વાલીઓનો ખર્ચ સતત વધી રહ્યો છે.
તમામ પેરેન્ટ્સ ઈચ્છતા હોય છે કે તેઓ પોતાના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરે. પાછલા કેટલાક વર્ષોમાં શિક્ષણ અને ઉચ્છ શિક્ષણના ક્ષેત્રમાં વાલીઓનો ખર્ચ સતત વધી રહ્યો છે. શિક્ષણ ઉપરાંત એક મોટી રકમની જરૂર પડે છે બાળકોના લગ્ન સમયે. સાથે જ બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે એક પરફેક્ટ સ્કીમની જરૂર હોય છે.
આ પણ વાંચો: લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની મર્યાદા થશે નક્કી, સેબી લાવશે નિયમ
તો પછી મોડું કેમ કરો છો. પોતાના બાળકો માટે આજે જ ફાઈનાન્સિયલ પ્લાનિંગ શરૂ કરી દો. પરંતુ થોડી સાવધાની રાખજો, સમજી વિચારીને નિર્ણય કરજો. જેથી તમારા બાળકોને ભવિષ્યમાં યોગ્ય ફાઈનાન્સિયલ સપોર્ટ મળી શકે. અમે તમને જણાવી દઈએ કે ફાઈનાન્સિયલ પ્લાનિંગ કરતા સમયે તમે આ ભૂલ તો ન જ કરતા.

સૌથી પહેલા લક્ષ્ય નક્કી કરો
તમારા બાળકો માટે પૈસાની જરૂર જુદા જુદા સમયે પડે છે. જેમ કે સ્કૂલનો ખર્ચ, ગ્રેજ્યુએશનના અભ્યાસનો ખર્ચ, પોસ્ટ ગ્રેજ્યુએશન સ્ટડીનો ખ્ચો અને લગ્નનો ખર્ચો. એટલે તમારે ટાર્ગેટ નક્કી કરીને જરૂર પડનારી રકમનો અંદાજ માંડીને પ્લાનિંગ કરવું જોઈએ.

ચાઈલ્ડ પ્લાન પર ન રહો નિર્ભર
બાળકો માટે ફાઈનાન્સિયલ પ્લાનિંગ કરતા સમયે ફક્ત ચાઈલ્ડ પ્લાન જેમ કે ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ કે પછી બીજા પ્રોડક્ટ પર નિર્ભર ન રહેવું જોઈએ. તમારે અંદાજ માંડવો પડશે કે ચાઈલ્ડ પ્લાનની રકમ બાળકોના ભવિષ્યની જરૂરિયાત માટે યોગ્ય છે કે નહીં ? એટલે બાળકોની યુનિક જરૂરિયાતો માટે રોકાણનો વિકલ્પ પસંદ કરતા સમયે ફાઈનાન્સિયલ એડવાઈઝર સાથે જરૂર વાત કરો.

ઓછું રિટર્ન આપતી મિલકતમાં રોકાણ
વધતી મોંઘવારી સાથે શિક્ષણ પણ મોંઘું થઈ રહ્યું છે, ત્યારે ઓછું રિટર્ન આપતા ઓપ્શન તમારા માટે કામના નથી. મોટા ભાગના કુટુંબો પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સોનામાં રોકાણ કરે છે. જો કે સોનામાં મળતું વળતર લાંબા સમયથી સ્થિર રહે છે. ફાઈનાન્સિયલ ગોલ પૂરો કરવા માટે તમારે એવી જગ્યાએ રોકાણ કરવું જોઈએ જેમાંથી તમને જરૂરી વળતર મળી શકે.

ટર્મ પ્લાન ન લેવો
કોઈ નોકરિયાત વ્યક્તિ જેના પર આખા કુટુંબની જવાબદારી છે, તેના માટે એક ટર્મ પ્લાન જરૂર લેવો જોઈએ. અપમૃત્યુની સ્થિતિમાં ટર્મ પ્લાન ફેમિલીને કામ લાગી શકે છે. ટર્મ પ્લાન લેતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે મળતું વળતર વાર્ષિક આવક કરતા 10થી 20 ગણું હોવું જોઈએ.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
