For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આધારને લઇને મોટો નિર્ણય, 30 સપ્ટેમ્બર સુધી આ કરો નહીં તો

આધાર કાર્ડ બનાવામાં હવે તમને રહેશે રાહત. કારણ કે સરકારે બેંકોમાં તેના નોંધણી કેન્દ્ર 1 મહિનામાં જ ખોલવાની વાત જણાવી છે. અને જે બેંક આવું નહીં કરે તેને 20,000નો દંડ ચૂકવવો પડશે.

By Chaitali
|
Google Oneindia Gujarati News

આધાર કાર્ડને લઇને યુઆઇડીએઆઇએ એક મોટો નિર્ણય લીધો છે. UIDAIના તમામ સરકારી અને ખાનગી બેંકોએ પોતાને ત્યાં આધાર નોંધણી કેન્દ્ર ખોલવા પડશે. અને આ યુએડીએઆઇના છેલ્લા આદેશ છે. યુએડીએઆઇના તમામ સરકારી અને ગેરસરકારી શાખાઓ તેમની 10 ટકા શાખામાં આધાર પંજીકરણ કેન્દ્ર ખોલવું પડશે. અને આ માટે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

aadhar

30 સપ્ટેમ્બર
એક મહિનાની અંદર બેંક જો આધારનું નોંધણી કેન્દ્ર તેની બેંકમાં ખોલવામાં અસફળ રહી તો તેના પર દંડ લાગશે. યુઆઇડીએઆઇના સીઇઓ અજય ભૂષણ પાંડે કહ્યું છે કે બેંકોએ પોતાની 10 ટકા શાખામાં આધાર પંજીકરણ કેન્દ્ર ખોલવું પડશે. આ માટે 30 ડિસેમ્બર સુધી સમય આપવામાં આવશે. આ પછી 1 ઓક્ટોબરથી નોંધણી કેન્દ્ર ન ખોલનારી બેંક પર 20,000 રૂપિયાનો દંડ લાગશે.

aadhar

બેંક માટે ફરજિયાત
ઉલ્લેખનીય છે કે બેંકમાં જ આધારનું નોંધણી કેન્દ્ર ખુલી જતા સામાન્ય લોકોને ભારે રાહત રહેશે. નોંધનીય છે કે બેંકમાં એકાઉન્ટ ખોલવાથી લઇને 50,000 થી વધુ રૂપિયાની લેવડ દેવડ પર આધારને અનિવાર્ય કરવામાં આવ્યું છે. તેવામાં બેંકોના આધાર પંજીકરણ અને અપડેશનની સુવિધા માટે લોકોને આ સુવિધા શરૂ થતા સરળતા રહેશે.

English summary
banks sans aadhaar enrolment centres face rs 20000 fine from 1st october
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X