4.6 ટકાની અંદર રહેશે નાણાંકીય નુકસાન: ચિદંબરમ

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી: 2014ની ચૂંટણી પહેલાં પહેલાં કેન્દ્રિય નાણામંત્રી પી. ચિદંબરમ આજે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. બજેટમાં ચિદંબરમ કેટલીક લોકલોભામણી જાહેરાતો કરી શકે છે પરંતુ આ દરમિયાન તેમને રાજકોષીય નુકસાનને સીમિત દાયરામાં રાખવા માટે આકરી મહેનત કરવી પડી શકે છે. ચિદંબરમ જુલાઇ સુધી સરકારના ખર્ચની સંસદમાં પરવાનગી લેવા માટે લેખાનુદાન પ્રસ્તાવ રજૂ કરશે.

નાણામંત્રીએ તાજેતરમાં જ કહ્યું હતું કે અમે ઇન્કમ ટેક્સ કાયદા, કસ્ટમ્સ લો અને ઉત્પાદ કાયદામાં ફેરફાર કરી ન શકીએ પરંતુ કાયદામાં સુધારાને છોડીને કોઇ બીજા પ્રસ્તાવ રાખવામાં આવી શકે છે. ચિદંબરમ આ દરમિયાન કોંગ્રેસ નીત યૂપીએ સરકારની ઉપલબ્ધિઓને રજૂ કરી શકે છે અને ભાવી યોજનાઓની બ્લુપ્રિંટ પર રજૂ કરી શકે છે. પૂર્ણ બજેટ મે મહિનામાં સામાન્ય ચૂંટણી બાદ રચાનારી આગામી સરકાર લાવશે.

p-chidambaram

પારંપરિક રીતે વચગાળાના બજેટમાં પ્રત્યક્ષ ટેક્સમાં કોઇપણ પ્રકારનું પરિવર્તન થતું નથી અને ના તો કોઇ નીતિગત જાહેરાત કરી શકાય. તેમછતાં તેમાં સામાન્ય માણસ અને મદદની આશા રાખનાર કેટલાક ક્ષેત્રો માટે રાહતભરી જાહેરાતો કરવામાં આવી શકે છે.

નાણામંત્રીએ આ પહેલાં સંકેત આપ્યા હતા કે આ વચગાળામાં બજેટમાં અર્થવ્યવસ્થાની ગતિ આપવા માટે ઉત્પાદન અને સર્વિસ ટેક્સમાં થોડા ફેરફાર કરવામાં આવી શકે છે, પરંતુ તે રાજકીય સામાન્ય સહમતિના અભાવમાં આર્થિક સુધારા સાથે જોડાયેલા મુખ્ય ઘરડાઓને આગળ નહી વધારે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X