હવેથી માત્ર બેંકો જ ડિપોઝિટ સ્વીકારી શકશે : RBI

બેન્કો સિવાયની સંસ્થાઓને થાપણ લેવાની મનાઈ કરનારું પગલુ ધીમું હોઈ શકે છે અને તેને લગતી પ્રક્રિયા પૂરી કરવાની કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. જોકે આ નિર્ણય અંગે હજુ કોઈ કાર્ય પદ્ધતિ પણ શરૂ કરવામાં આવી નથી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર ડી. સુબ્બારાવે જણાવ્યું છે કે, રિઝર્વ બેન્કના મત પ્રમાણે સમય જતા અમારે એવી નાણાકીય સિસ્ટમ તરફથી આગળ વધવું જોઈએ કે જેમાં થાપણનો સ્વીકાર બેન્કિંગ સિસ્ટમ પુરતો જ મર્યાદિત રહે. બેન્કિંગ સિસ્ટમની બહાર થાપણો એકત્ર કરવાનું ઓછુ થવું જોઈએ અને સમય આવ્યે તે નાબૂદ કરાશે.
પશ્ચિમ બંગાળનમા ચીટફંડ કૌભાંડ પછી નિયમનકારો જેવા કે આરબીઆઈ અને સેબી વચ્ચે પરસ્પર દોષારોપણની રમત ચાલી હતી અને તેના પગલે આરબીઆઈ દ્વારા આ પ્રમાણેનો ભાર પૂર્વકનો નિર્ણય લેવો પડ્યો છે કે એકલી બેન્કો જ થાપણો સ્વીકારી શકશે.
આ કૌભાંડમાં હજારો રોકાણકારોએ તેમની જિંદગીની બચત ગુમાવી છે, પણ આ કંપનીઓના રોકાણકારોનું રક્ષણ કરવાની જવાબદારી કોઈ નિયમન કાર દ્વારા લેવામાં આવી નથી.ભારતીય કાયદા નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ, રાજ્ય સરકારોના નિયંત્રણ હેઠળ આવતા ચીટફંડ અને સહકારી મંડળીઓને ડિપોઝિટ સ્વીકારવાની મંજૂરી આપે છે, પરંતુ દેખરેખ નબળી હોવાથી કતૌભાંડીઓ સજા વીના છટકી જાય છે.
વિદેશી બેન્કો માટે ટૂંક સમયમાં નવા નિયમો આવશે
ભારતમાં આવેલી ખાનગી બેન્કોને ખૂબ જ ટૂંક સમયમાં સબસિડિયરી કંપનીમાં રૃપાંતરણ થવુ પડશે. આગામી થોડા મહિનાઓમાં આરબીઆઈ દ્વારા વિદેશી બેન્કો માટે અકે નવી ગાઈડ લાઈન લાવવાનું વિચારી રહી છે. આરબીઆઈના ગવર્નર ડી. સુબ્બારાવે જણાવ્યું છે કે હજુ આ વિશે અમુક કાયદાકીય કાર્યવાહી કરવાની બાકી છે તે પથી આ નિયમાવલી રજૂ કરવામાં આવશે. વર્ષ 2008ની મંદી પછી ભારત સતર્ક થઈ ગયું છે. આરબીઆઈના મત પ્રમાણે વિદેશી બેન્કો અહી સબસિડિયરી કંપની બની ને કામ કરે જેથી વિદેશમાં તેમની શાખાને કોઈ નુકસાન તોય તો તેની અસર ભારતની ઈકોનામી પર પડશે નહીં. હાલ બધી જ વિદેશી બેન્કો ભારતમાં તેમની બ્રાન્ચથી કામ કરી રહી છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
