હવેથી માત્ર બેંકો જ ડિપોઝિટ સ્વીકારી શકશે : RBI

બેન્કો સિવાયની સંસ્થાઓને થાપણ લેવાની મનાઈ કરનારું પગલુ ધીમું હોઈ શકે છે અને તેને લગતી પ્રક્રિયા પૂરી કરવાની કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. જોકે આ નિર્ણય અંગે હજુ કોઈ કાર્ય પદ્ધતિ પણ શરૂ કરવામાં આવી નથી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર ડી. સુબ્બારાવે જણાવ્યું છે કે, રિઝર્વ બેન્કના મત પ્રમાણે સમય જતા અમારે એવી નાણાકીય સિસ્ટમ તરફથી આગળ વધવું જોઈએ કે જેમાં થાપણનો સ્વીકાર બેન્કિંગ સિસ્ટમ પુરતો જ મર્યાદિત રહે. બેન્કિંગ સિસ્ટમની બહાર થાપણો એકત્ર કરવાનું ઓછુ થવું જોઈએ અને સમય આવ્યે તે નાબૂદ કરાશે.
પશ્ચિમ બંગાળનમા ચીટફંડ કૌભાંડ પછી નિયમનકારો જેવા કે આરબીઆઈ અને સેબી વચ્ચે પરસ્પર દોષારોપણની રમત ચાલી હતી અને તેના પગલે આરબીઆઈ દ્વારા આ પ્રમાણેનો ભાર પૂર્વકનો નિર્ણય લેવો પડ્યો છે કે એકલી બેન્કો જ થાપણો સ્વીકારી શકશે.
આ કૌભાંડમાં હજારો રોકાણકારોએ તેમની જિંદગીની બચત ગુમાવી છે, પણ આ કંપનીઓના રોકાણકારોનું રક્ષણ કરવાની જવાબદારી કોઈ નિયમન કાર દ્વારા લેવામાં આવી નથી.ભારતીય કાયદા નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ, રાજ્ય સરકારોના નિયંત્રણ હેઠળ આવતા ચીટફંડ અને સહકારી મંડળીઓને ડિપોઝિટ સ્વીકારવાની મંજૂરી આપે છે, પરંતુ દેખરેખ નબળી હોવાથી કતૌભાંડીઓ સજા વીના છટકી જાય છે.
વિદેશી બેન્કો માટે ટૂંક સમયમાં નવા નિયમો આવશે
ભારતમાં આવેલી ખાનગી બેન્કોને ખૂબ જ ટૂંક સમયમાં સબસિડિયરી કંપનીમાં રૃપાંતરણ થવુ પડશે. આગામી થોડા મહિનાઓમાં આરબીઆઈ દ્વારા વિદેશી બેન્કો માટે અકે નવી ગાઈડ લાઈન લાવવાનું વિચારી રહી છે. આરબીઆઈના ગવર્નર ડી. સુબ્બારાવે જણાવ્યું છે કે હજુ આ વિશે અમુક કાયદાકીય કાર્યવાહી કરવાની બાકી છે તે પથી આ નિયમાવલી રજૂ કરવામાં આવશે. વર્ષ 2008ની મંદી પછી ભારત સતર્ક થઈ ગયું છે. આરબીઆઈના મત પ્રમાણે વિદેશી બેન્કો અહી સબસિડિયરી કંપની બની ને કામ કરે જેથી વિદેશમાં તેમની શાખાને કોઈ નુકસાન તોય તો તેની અસર ભારતની ઈકોનામી પર પડશે નહીં. હાલ બધી જ વિદેશી બેન્કો ભારતમાં તેમની બ્રાન્ચથી કામ કરી રહી છે.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
