For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMનું વચન : ભારત વીમા ક્ષેત્રેમાં ઉદારીકરણ કરશે

|
Google Oneindia Gujarati News

pm-markela-angle
બર્લિન, 12 એપ્રિલ : ભારતના પાંચ મંત્રીઓ સાથે જર્મનીની યાત્રા પર આવેલા વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું છે કે મારી સરકાર વીમા સેક્ટરમાં વિદેશી મૂડીરોકાણની મર્યાદાને વધારવા મક્કમ છે. ભારત વીમા ક્ષેત્રમાં ઉદારીકરણ કરશે એ મારું વચન છે.

જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે પત્રકાર પરિષદને સંબોધિત કરતાં મનમોહન સિંહે કહ્યું કે, મારી કેબિનેટે વીમા ક્ષેત્રમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)માં વધારો કરવાના પ્રસ્તાવને માન્ય રાખ્યો છે. આ ક્ષેત્રમાં એફડીઆઈ લિમિટ હાલની 26 ટકાથી વધારી 49 ટકા કરવામાં આવશે.

વીમા સેક્ટરમાં ઉદારીકરણ લાગુ કરવા પોતાની સરકારની દ્રઢતાની ખાતરી આપીને મનમોહન સિંહે કહ્યું કે કેબિનેટની મંજૂરી બાદ અમે સંસદની મંજૂરીની રાહ જોઈએ છીએ. મનમોહન સિંહની યાત્રા સમયે ભારત અને જર્મનીએ શિક્ષણ, કૃષિ અને ક્લીન એનર્જી સહિત 6 ક્ષેત્રોમાં કરાર કર્યા છે. જર્મની ભારતને 6 વર્ષ માટે એક અબજ યુરોની રાહતના દરવાળી લોન આપશે.

English summary
PM promise : India will do liberalization in insurance sector.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X