RBI એ ઇ-વૉલેટ કંપનીઓને આપી 6 મહિનાની અવધિ
RBIએ આ ઇ-વૉલેટ કંપનીઓને તેના ગ્રાહકોને કેવાયસી (Know Your Customer) કરાવવા માટે છ મહિનાનો સમય આપ્યો છે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ દેશમાં કાર્યરત ઇ-વૉલેટ કંપનીઓને મોટી રાહત આપી છે. RBIએ આ ઇ-વૉલેટ કંપનીઓને તેના ગ્રાહકોને કેવાયસી (Know Your Customer) કરાવવા માટે છ મહિનાનો સમય આપ્યો છે. આરબીઆઈના નિર્ણયનો સૌથી મોટો ફાયદો Paytm અને Amazon જેવી મોટી કંપનીઓને થશે. તમને જણાવી દઈએ કે આરબીઆઇ દ્વારા બેંકો માટે ગ્રાહકો પાસેથી કેવાયસી ભરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: દેશની સૌથી મોટી બેંક SBI માં 25% નોકરીઓ સમાપ્ત થશે, આ છે કારણ

બીજો છ મહિનાનો વધુ સમય મળ્યો
આરબીઆઈએ ગ્રાહકોનું કેવાયસી કરાવવા માટે પ્રિપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) પર કામ કરતી કંપનીઓને સૂચના આપી હતી. આ માટે આરબીઆઈએ 28 ફેબ્રુઆરી સુધીનો સમય નક્કી કર્યો હતો. પરંતુ આ સમય સીમામાં કંપનીઓ તેમના મોટી સંખ્યામાં તેમના ગ્રાહકોનું કેવાયસી કરાવવા માટે અસમર્થ રહી હતી. આ પછી, કંપનીઓએ કેવાયસી કરાવવા માટે આરબીઆઈ પાસેથી વધુ સમય માંગ્યો હતો.
કંપનીઓની આ માંગ પછી આરબીઆઇએ તેમને છ મહિનાનો સમય આપ્યો છે. તે સાથે આરબીઆઈએ કેવાયસીને પૂર્ણ કરવા માટે આ કંપનીઓને વૈકલ્પિક સાધનોનો ઉપયોગ કરવાનું કહ્યું છે.

તેઓ વધુ લાભ થશે
RBI ની તરફથી કેવાયસી પૂર્ણ કરવા છ મહિનાનો વધુ સમય આપ્યા પછી Paytm, MobiKwik, Flipkart, PhonePe અને Amazonજેવી કંપનીઓને સૌથી વધુ લાભ થશે. આ કંપનીઓ નાણાકીય વ્યવહારો ઉપરાંત ગુડ્સ પર્ચેજનું કાર્ય પણ કરે છે.

કેવાયસી શું છે?
કેવાયસી એ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સંચાલિત એક ઓળખ પ્રક્રિયા છે, જેની મદદથી બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ તેમના ગ્રાહકોને સારી રીતે જાણી શકે છે. કેવાયસી એટલે કે "નો યોર કસ્ટમર" એટલે કે તમારા ગ્રાહકને જાણો બેંક અને નાણાકીય કંપનીઓ આ માટે ફોર્મ ભરાવી અને તેની સાથે ઓળખનો પુરાવો પણ લે છે.

ઈંદરા નૂઈ એમેઝોનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ
બીજી તરફ પેપ્સિકોના ભૂતપૂર્વ સીઇઓ ઈંદરા નૂઈ, એમેઝોનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ થઇ ગઈ છે. તેની ઓનલાઇન રિટેલ કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ઓક્ટોબર 2018 માં પેપ્સિકોથી રાજીનામું આપનારી નૂઈ એમેઝોનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ થનારી બીજી ભારતીય મહિલા છે. અગાઉ, ફેબ્રુઆરીના પ્રારંભમાં સ્ટાર્બક્સના એક્ઝિક્યુટિવ રોસલિંડ બ્રેવર પણ બોર્ડમાં જોડાઈ હતી.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
