GST સાથે જોડાયેલા તમામ ભ્રમ દૂર કરવા વાંચો આ લેખ
શું છે જીએસટી. કેવી રીતે તે લાગુ થશે અંગે થોડીક પાયાની માહિતી અને સવાલ જવાબ જાણો આ લેખમાં.
હવે તમને તમામ ટેક્સથી મુક્તિ મળવાની છે. કારણ કે એક દેશ એક ટેક્સનું સપનું પૂરું કરવા માટે 1 જુલાઇથી સરકાર જીએસટી લાગુ કરી રહી છે. ત્યારે તમારા મનમાં પણ જીએસટી શું છે તે અંગે કેટલાક સવાલો ઊભા થતા હશે. અને જીએસટીથી શું ફાયદો કે નુક્શાન થશે તે પણ તમે જાણવા ઇચ્છતા હશો. ત્યારે જીએસટીને લગતા કેટલાક સર્વ સામાન્ય સવાલોના જવાબ અમે આજે અહીં આપવાના છીએ. જે અંગે જાણો અહીં.

શું છે જીએસટી?
જીએસટી એક અપ્રત્યક્ષ કર એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સ છે. જીએસટી હેઠળ વસ્તુઓ અને પ્રોડક્ટ પર એક પ્રકારે સમાન ટેક્સ લગાવવામાં આવશે. કોઇ પણ કંપની કે કારખાના પર પણ આ નિયમ લાગશે. તમે ઉત્પાદક બનીને કોઇ રાજ્યથી બીજા રાજ્યમાં કોઇ વસ્તુ વેચો છો તો અનેક પ્રકારના ટેક્સ તમારે ચૂકવવા પડશે. જેમાં ઉત્પાદની કિંમત વધી જાય છે. પણ જીએસટી લાગુ થવાથી ઉત્પાદનની કિંમત ઓછી થઇ જશે. સાથે જ એક દેશ, એક ટેક્સનું સપનું હવે પૂરી થશે.

જીએસટી કેવી રીતે કામ કરે?
જીએસટીના ત્રણ ભાગ હશે. કેન્દ્રીય જીએસટી (CGST), રાજ્ય જીએસટી (SGST) અને એટીગ્રેટેડ જીએસટી (IGST). કેન્દ્રીય અને ઇન્ટીગ્રેટેડ જીએસટી કેન્દ્ર સરકાર લાગુ કરશે જ્યારે એસજીએસટીને લાગુ કરવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે રહેશે.

કેવી રીતે લાગશે?
રાજ્યની અંદર માલ વેચવા પર સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને સ્ટેટ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગશે. ઉદાહરણ રૂપે જો કોઇ ગુજરાતનો વ્યક્તિ ગુજરાતમાં જ માલ વેચે છે તો તે વસ્તુ પર જીએસટી રેટ 18 ટકા હશે. તેની પર 9 ટકા સીજીએસટી અને 9 ટકા એસજીએસટી લાગશે. આ જ માલ જો રાજ્યની બહાર વેચાય છે તો 18 ટકાના દરથી IGST લાગશે. એક્સાઇઝ ડ્યૂટી, સર્વિસ ટેક્સ, કસ્ટમ ડ્યૂટી અને અન્ય કેન્દ્રીય અપ્રત્યક્ષ કરી જગ્યાએ સીજીએસટી લેવામાં આવશે. ઇન્ટરટેનમેન્ટ ટેક્સ, એન્ટ્રી ટેક્સ, વેલ્યૂ એડડ ટેક્સની જગ્યાએ એસજીએસટી લાગશે.

ઇનપુટ ટેક્સ ક્રેડિટ શું છે?
જીએસટી લાગુ થયા પછી એક સ્તર પર ટેક્સ ચૂકાવાશે, બીજા સ્તર પર ચૂકવાતા ટેક્સથી ઓછું કરવામાં આવશે અને અંતમાં ઉપભોક્તા પર ટેક્સ લાગશે. વપરાશ પહેલાના સ્તરના ટેક્સને ઇનપુટ ટેક્સ કહેવાશે. અને તે આ પછીને સ્તર માટે ક્રેડિટનું કામ કરશે. વધુમાં જીએસટીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો લેવા માટે તમામ લોકોએ રજિસ્ટ્રેશન કરવું જરૂરી થશે.

કોને આપવું પડશે જીએસટી?
20 લાખથી ઉપર વાર્ષિક વેચાણ વાળા વેપારી અને વ્યવસાયે જીએસટીની ચૂકવણી કરવી પડશે. પૂર્વોત્તર અને વિશેષ શ્રેણીના રાજ્યોના રાજ્યોની આ મુદ્દે જીએસટી ચૂકવણી કરવાની સીમા 10 લાખ નક્કી કરવામાં આવી છે. સાથે જ આંતરાજ્ય વેપાર પર પણ જીએસટી આપવું પડશે.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
