શાહરૂખ ખાનને બાલ ઠાકરેને કહ્યું 'મિસ યુ ટાઇગર'
બૉલિવુડના બાદશાહ શાહરૂખ ખાન અને શિવ સેનાના પ્રમુખ બાલા સાહેબ ઠાકરે વચ્ચે છેલ્લા ઘમા સમયથી વિવાદ ચાલી રહ્યા હતા તે જગજાહેર વાત છે. શનિવારે બાલ ઠાકરેના મૃત્યુ બાદ શાહરૂખ ખાન દુ:ખી છે. તેઓ છેલ્લા સમયે ઠાકરેને મળી નહીં શકવાને કારણે હતાશ પણ થઇ ગયા છે. શિવ સેના પ્રમુખના નિધનથી સમગ્ર મુંબઇ શહેર દુ:ખી છે. લાખોની સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શન માટે મુંબઇના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ઠાકરે વર્તમાન સમયના એવા રાજકીય નેતા છે જેમના માટે જનતાએ સ્વયંભૂ બંધ જાળવીને મુંબઇના સિનેમાઘરો, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે બંધ રહ્યા છે.

પોલિટિક્સથી લઇને બૉલિવુડ સાથે સંકળાયેલા નાના મોટા સૌ કોઇ લોકો બાલ ઠાકરેને શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે. ટિ્વટર, ફેસબુક અને બ્લોગ્સ પર બધી જ સેલિબ્રિટી ઠાકરે સાહેબ સાથે સંકળાયેલી પોતાની યાદોને મૂકી રહી છે. લતા મંગેશકર, અમિતાભ બચ્ચન, ઋત્વિક રોશન, કરણ જોહર, શ્રીદેવી બધા જ બાલ ઠાકરે પ્રત્યે સન્માનની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે શાહરૂખ ખાન પણ બાલ ઠાકરે સાથે પોતાની દુશ્મની ભૂલાવીને સન્માન દર્શાવી રહ્યા છે.
17 નવેમ્બરે બાલ ઠાકરેના નિધન બાદ ટિ્વટર પર ટિ્વટ કરતા શાહરૂખ ખાને લખ્યું હતું કે "આપણે ઘણીવાર વ્યક્તિગત બાબતોને કારણે સબંધ શરૂ કરવા વિચારતા નથી અને પછી મોડું થઇ જાય છે. મારે બાલા સાહેબને મળવું જોઇતું હતું. હું મારી અને બાલા સાહેબ વચ્ચે થયેલી વાચચીતોને ખૂબ યાદ કરીશ. રેસ્ટ ઇન પીસ સર."
ઉલ્લેખનીય છે કે જ્યારે શાહરૂખ ખાનની ફિલ્મ માય નેમ ઇઝ ખાન રજૂ થઇ હતી ત્યારે ઠાકરેએ તેમને ચેતવણી આપી હતી કે તેઓ માય નેમ ઇઝ ખાનની રજૂઆત થવા દેશે નહીં. કારણ કે શાહરૂખ ખાનની ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સમાં 2008માં અનેક પાકિસ્તાની ખેલાડીઓને લેવામાં આવ્યા હતા.
ત્યાર બાદ વર્ષ 2012માં આઇપીએલ મેચ દરમિયાન શાહરૂખ ખાન અને મુંબઇના વાનખેડે સ્ટેડિયમના સિક્યુરિટી ગાર્ડ વચ્ચે થયેલા વિવાદને પગલે શિવ સેનાએ મોટી બબાલ ઉભી કરી હતી. આ કારણોથી શાહરૂખ ખાન અને બાલ ઠાકરે વચ્ચેનું અંતર વધ્યું હતું. ત્યાર બાદ બંને એક બીજાની સામે આવ્યા નથી. જો કે ઠાકરેના નિધન બાદ શાહરૂખે તેમને નહીં મળી શકવાનો ખેદ વ્યક્ત કર્યો હતો.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
