આગ લાગી શ્રીદેવીના ઘરમાં અને બેઘર થયાં પ્રભુ દેવા!
મુંબઈ, 4 જાન્યુઆરી : જાણીતા કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર પ્રભુ દેવાએ શ્રીદેવીનું ભાડાનુ મકાન તેમને પાછુ આપી દીધું છે. તેઓ અત્યાર સુધી જે મકાનમાં ભાડે રહેતા હતાં, તે શ્રીદેવીનું હતું. પ્રભુ દેવાએ શ્રીદેવી માટે તેમનું મકાન ખાલી કરી આપ્યું છે, કારણ કે શ્રીદેવી અત્યાર સુધી જ્યાં રહેતા હતાં, તેમાં ગત 21મી ડિસેમ્બરે આગ લાગી ગઈ હતી.
જ્યારે પ્રભુ દેવાએ સાંભળ્યું કે શ્રીદેવીના બંગલામાં આગ લાગી ગઈ હતી અને તેમનો પરિાર મિત્રના ઘરે રહે છે, તો પ્રભુએ તરત જ મકાન ખાલી કરી આપ્યું. મળતી માહિતી મુજબ માલદીવ ખાતે ન્યુ ઈયરની ઉજવણી કરવા ગયેલ કપૂર પરિવાર મુંબઈ પરત ફર્યા બાદ પ્રભુ દેવાએ ખાલી કરી આપેલ મકાનમાં રહેવા આવી ગયો છે. બીજી બાજુ ચેન્નઈ અને મૈસૂર પ્રવાસે ગયેલા પ્રભુ દેવા આજે મુંબઈ પરત ફરવાનાં છે, પણ તેઓ મુંબઈમાં બેઘર થઈ ચુક્યાં છે. તેઓ કદાચ હવે જુહૂ અને અંધેરી પાસે જ કોઈ મકાન શોધશે.