નોટબંધીના 50 દિવસ પૂર્ણ, જાણો સરકારને કેટલું કાળું નાણું મળ્યું?
કાળા નાણાં વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ નોટબંધીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નોટબંધીના 50 દિવસ બાદ મોદી સરકારના હાથમાં શું આવ્યું? આવો જાણીએ..
કાળા નાણાં વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ નોટબંધીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મોદી સરકારનો દાવો હતો કે નોટબંધીના નિર્ણય દ્વારા એ તમામ લોકો પર લગામ લગાવી શકાશે જેઓ કાળું નાણું જમા કરીને બેઠા છે. આથી જ નરેન્દ્ર મોદીએ RBI ની સલાહ લઇ રૂ. 500 અને 1000 ની નોટો પર બેન લગાવ્યો હતો, 500 અને 1000 ની જૂની નોટોની જગ્યાએ 500 અને 2000 રૂપિયાના નવી નોટો બહાર પાડવામાં આવી. જૂની નોટો બદલવા માટે સરકારે 30 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો હતો. આવો જાણીએ નોટબંધીના 50 દિવસ બાદ મોદી સરકારના હાથમાં શું આવ્યું? નરેન્દ્ર મોદી કાળું નાણું પકડવામાં કેટલે અંશે સફળ થયા?

458 કરોડ રૂપિયા જપ્ત
નોટબંધીના નિર્ણય બાદ સરકાર દ્વારા અનેક જગ્યાએ છાપા મારવામાં આવ્યા, જેમાં લગભગ 458 કરોડ રૂપિયા જપ્ત થયા. સરકારી એજન્સિઓએ તેમને મળેલી સૂચના અનુસાર આ ઑપરેશન હાથ ધર્યા હતા. 22 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધીના ગાળામાં સરકારી એજન્સિઓએ આવા કુલ 200 ઑપરેશન કર્યા.

નવી નોટો પણ મળી આવી
સરકારી એજન્સિઓ દ્વારા જે છાપા મારવામાં આવ્યા તેમાં માત્ર 500 અને 1000ની જૂની નોટો જ નહીં, પરંતુ 500 અને 2000 ની નવી ચલણી નોટો પણ મળી આવી. જપ્ત થયેલા 458 કરોડ રૂપિયામાંથી માત્ર 1.5 કરોડ રોકડ જ જૂની ચલણી નોટોમાં મળી છે. દેશમાં બેંકોની 547 બ્રાંચ અત્યારે ઇડી અને સીબીઆઇની રડાર પર છે.

5000થી વધુ નોટિસ
આવકવેરા વિભાગે ઘણા લોકો વિરુદ્ધ નોટિસ બહાર પાડી છે, પોતાની કાર્યવાહી હેઠળ તેમણે 5000થૂ પણ વધુ નોટિસ જાહેર કરી છે. આવકવેરા વિભાગે એ તમામ લોકોને નોટિસ મોકલી છે, જેમની પર એમને શંકા છે. નોટબંધી લાગુ થયા બાદ અત્યાર સુધીમાં લગભગ 14 કરોડ રૂપિયા બેંકમાં જમા કે એક્સચેન્જ કરવામાં આવ્યા છે.

4 લાખ કરોડ રૂપિયા પર હજુ પણ સંદેહ
આવકવેરા વિભાગને શંકા છે કે બેંકોમાં લગભગ 4 લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું સફેદ કરી જમા કરાવવામાં આવ્યું છે. આને આધારે જ આવકવેરા વિભાગે હવે એ લોકોને નોટિસ મોકલવાનું શરૂ કરી દીધું છે, જેઓ પોતાની આવકનો સ્ત્રોત જણાવવામાં અસફળ રહ્યાં છે. આ દરમિયાન જ ભારતીય રિઝર્વ બેંક દ્વારા 100, 50, 20 અને 10 રૂપિયાની ચલણી નોટોમાં લગભગ 1.06 કરોડ રૂપિયા બાજરમાં સર્ક્યૂલેશનમાં નાખવામાં આવ્યા છે.

100 લોકોથી વધુની મોત
નરેન્દ્ર મોદીને નોટબંધીના નિર્ણય દ્વારા કાળા નાણાં સામેની લડાઇમાં એક તરફ ફાયદો થયો છે, તો બીજી બાજુ તેમને ઘણી આલોચનાનો સામનો પણ કરવો પડ્યો છે. નોટબંધીના કારણે બેંકો અને એટીએમમાં લાંબી લાઇનો લાગેલી જોવા મળે છે અને આ કારણે 100 થી પણ વધુ લોકોની મોત થઇ હોવાનું બહાર આવ્યું છે.

અહીં વાંચો
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
