અમદાવાદ: ક્રાઇમ બ્રાંચ પર હુમલો કરનાર 4 ઝડપાયા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર થયો હતો હુમલો કાર ચોરનારી ટોળકીએ કર્યો હતો હુમલો 4ની ધરપકડ, 1 ફરાર
કાર ચોરનારી ટોળકીએ અમદાવાદ અને તેની આસપાસમાં ત્રાસ વર્તાવ્યો હતો, જ્યારે આ ટોળકીને ઝબ્બે કરવા ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ નીકળ્યા ત્યારે ખરેખર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આરોપીઓએ પોલીસની જરા પણ બીક ન રાખતા પોલીસ પર હિચકારો હુમલો કર્યો હતો. જો કે, પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા બે આરોપીઓ ઝડપાઈ ગયા છે. બુધવારે મોડી રાત્રે કાર ચોર ટોળકીને ઝડપી લેવા માટે છેક અડાજણથી પોલીસની ટીમે પીછો શરૂ કર્યો હતો. આ અંગેની જાણ થઇ જતા મહેસાણાના એક રિસોર્ટ પાસે કાર ચોર ટોળકીના માથાભારે શખ્સોએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટુકડી ઉ૫ર હુમલો કર્યો હતો. તેમણે પોલીસ પર પથ્થરમારો કરી પોલીસને કાર નીચે રહેંસી નાખવાના પણ પ્રયત્ન કર્યા હતા.

આ અથડામણમાં બે પોલીસ કર્મી અને એક આરોપી ઈજાગ્રસ્ત થયા હતા. હુમલામાં બંને તરફથી ફાયરિંગ થયું હતું, જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગી છે. જો કે પોલીસે પાંચમાંથી ચાર આરોપી નામે રૂઘનાથ બિશ્નોઈ, નારાયણ બિશ્નોઈ, નરેશ રામલાલ, પ્રકાશ રામલાલનની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી ભજનલાલ બિશ્નોઈ ફરાર છે, જેને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે. બુધવારે મોડી રાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ જ્યારે કાર ચોર ગેંગને પકડવા ગઈ હતી ત્યારે તેના પર હુમલો થયો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે વોટરપાર્ક પાસે પોલીસ અધિકારી જે.એન.ચાવડાની ટીમ પર કાર ચોરી કરતી ગેંગે હુમલો કર્યો હતો. કાર ચોર કરતી ગેંગ અડાલજ ખાતે પોલીસની ગાડીને ટક્કર મારીને ભાગી હતી. બાદમાં પોલીસે અમિયાપુરા ગામ પાસેથી 5 પૈકી 4 આરોપીઓની ઝડપી પાડ્યા હતા. પોલીસે હાલમાં પાંચમાંથી ચાર આરોપીને ઝડપી લીધા છે. ઇજાગ્રસ્ત થયેલા કોન્સ્ટેબલને તેમજ એક આરોપીને વી.એસ.હોસ્પિટલમા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
