શહીદોને શ્રદ્ધાજંલી: સુરત ડાયરામાં ઉડાવી નોટો, ભેગા થયા 1 કરોડ
સુરતીઓ ઉરી શહીદોના પરિજનોને આર્થિક સહાય કરવા માટે આગળ આવ્યા છે. હાલમાં જ થયેલા ઉરી હુમલામાં માર્યા ગયેલા જવાનો ને શ્રદ્ધાજંલી આપવા માટે ગુજરાતના સુરતમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં લોકો એ ખુબ પૈસા ઉડાવ્યા.
આ કાર્યક્રમ એટલા બધા પૈસા ઉડાવવામાં આવ્યા કે જયારે તેને ભેગા કરીને ગણવામાં આવ્યા ત્યારે તેની કિંમત 1 કરોડ જેટલી નીકળી. કાર્યક્રમના આયોજકોનું કહેવું છે કે આ પૈસા શહીદોના પરિવારને મોકલવામાં આવશે.
ગતરાત્રીએ ઉદ્યોગપતિ મહેશ સવાણી અને તેમના ગ્રુપ દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ના ગાયક બીજું કોઈ નહીં પરંતુ ગુજરાત ના લોક ડાયરાના બાદશાહ એવા ક્રીતિધાન ગઢવી હતા. એટલે આટલા પૈસા ભેગા થવા તો સ્વાભાવિક જ છે.
આ કાર્યક્રમમાં જયારે એક વાર પૈસાનો વરસાદ શરૂ થયો કે પછી તે અટકવાનું નામ જ લેતો ના હતો. ગાયકોની ચારેબાજુ નોટોનો ઢગલો થઇ ગયો હતો. નાના બાળકોથી લઈને મહિલાઓ બધા જ પૈસા ઉડાવવામાં તલ્લીન થઇ ગયા હતા.
આપને જણાવી દઈએ કે હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો હતો તેમાં 17 ભારતીય જવાનો શહીદ થયા હતા અને હુમલામાં ઘાયલ 3 જવાનોની પણ બાદમાં મૌત થઇ હતી. એટલે કુલ 20 જવાનો તે હુમલામાં શહીદ થયા હતા.