શહીદોને શ્રદ્ધાજંલી: સુરત ડાયરામાં ઉડાવી નોટો, ભેગા થયા 1 કરોડ
સુરતીઓ ઉરી શહીદોના પરિજનોને આર્થિક સહાય કરવા માટે આગળ આવ્યા છે. હાલમાં જ થયેલા ઉરી હુમલામાં માર્યા ગયેલા જવાનો ને શ્રદ્ધાજંલી આપવા માટે ગુજરાતના સુરતમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં લોકો એ ખુબ પૈસા ઉડાવ્યા.

આ કાર્યક્રમ એટલા બધા પૈસા ઉડાવવામાં આવ્યા કે જયારે તેને ભેગા કરીને ગણવામાં આવ્યા ત્યારે તેની કિંમત 1 કરોડ જેટલી નીકળી. કાર્યક્રમના આયોજકોનું કહેવું છે કે આ પૈસા શહીદોના પરિવારને મોકલવામાં આવશે.

ગતરાત્રીએ ઉદ્યોગપતિ મહેશ સવાણી અને તેમના ગ્રુપ દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ના ગાયક બીજું કોઈ નહીં પરંતુ ગુજરાત ના લોક ડાયરાના બાદશાહ એવા ક્રીતિધાન ગઢવી હતા. એટલે આટલા પૈસા ભેગા થવા તો સ્વાભાવિક જ છે.

આ કાર્યક્રમમાં જયારે એક વાર પૈસાનો વરસાદ શરૂ થયો કે પછી તે અટકવાનું નામ જ લેતો ના હતો. ગાયકોની ચારેબાજુ નોટોનો ઢગલો થઇ ગયો હતો. નાના બાળકોથી લઈને મહિલાઓ બધા જ પૈસા ઉડાવવામાં તલ્લીન થઇ ગયા હતા.

આપને જણાવી દઈએ કે હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો હતો તેમાં 17 ભારતીય જવાનો શહીદ થયા હતા અને હુમલામાં ઘાયલ 3 જવાનોની પણ બાદમાં મૌત થઇ હતી. એટલે કુલ 20 જવાનો તે હુમલામાં શહીદ થયા હતા.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
