તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરી

શનિવારે તુલસી પ્રજાપતિ કેસની ચાર્જશીટ સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવી તેમાં અમિત શાહ ઉપરાંત અનેક પોલીસ અધિકારીઓ જે હાલ સેવા બજાવી રહ્યાં છે અથવા તો કેટલાક સેવાનિવૃત છે, તેમના નામ પણ છે. જેમાં પીસી પાન્ડે, ગીથા જ્હોરી અને ઓપી માથુરનું નામ પણ છે. અત્રે એ વાત નોંધનીય છે કે, સૌહરાબુદ્દિન એન્કાઉન્ટર કેસની જેમ હવે ટૂંક સમયમાં તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ધરપકડનો દોર શરુ થશે.
નોંધનીય છે કે, સુપ્રિમ કોર્ટે સીબીઆઇની અરજી ફગાવી દીધા બાદ અમિત શાહ બે વર્ષ પછી ગુજરાત પરત ફર્યાં છે, ત્યાં તુલસી એન્કાઉન્ટર કેસની ચાર્જશીટ તેમના માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. આ કેસમાં પણ અમિત શાહનું નામ પ્રમુખ આરોપીની યાદીમાં મુકવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
