ગુજરાત ભાજપે મને ખોટા કેસમાં જેલ મોકલ્યો હતો : હાર્દિક પટેલ
પાટણના કાર્યક્રમાં થયેલી મારપીટ મામલે થયેલી ધરપકડ બાદ હાર્દિક પેટલ સહિત અન્ય બે લોકોના જામીન મંજુર થયા છે. પાટણમાં ન જવા અને ગુજરાતને ન છોડવાની શરતે કર્યા જામીન મંજુર. આ અંગે વધુ વાંચો અહીં.
પાટણમાં ગત મહિને યોજાયેલ 'એક શામ શહિદ કે નામ' કાર્યક્રમમાં મહેસાણાના પાટીદાર યુવક સાથે મારપીટના કેસમાં હાર્દિક પટેલ અને તેના બે મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં આ ત્રણેય પાટીદાર કાર્યકરોને શરતી જામીન પર છોડવાનો આદેશ સેસન્સ કોર્ટે કર્યો છે. હાર્દિક પટેલ અને તેના સાથીદારોના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. હાર્દિક તથા તેના સાથીઓને પાટણમાં ન પ્રેવશવાની તથા ગુજરાતની બહાર ન જવાની શરત પર જામીન આપવામાં આવ્યા છે. આ મામલે હાર્દિક પટેલે ટવિટ્ કરતા જણાવ્યુ કે, ગુજરાત ભાજપ મારા પર ખોટા કેસ કરી મને જેલમા પુરવાનો પ્રયત્ન કરે છે.

નોંધનીય છે કે, 26 ઓગસ્ટના રોજ પાટણ ખાતે યોજાયેલ 'એક શામ શહિદ કે નામ' પાટીદાર કાર્યક્રમમાં હાર્દિક પટેલ અને દિનેશ બાભંડિયાની મહેસાણાના યુવકો સાથે મારપીટ કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. એ બાદ શુક્રવારે તેની જામીન અરજી પર સુનવણી કરતા કોર્ટે તેમને રૂ. 15000નો દંડ ફટકોર્યો હતો. જામીનની શરતો અનુસાર, હાર્દિક પટેલને પાટણમાં પ્રવેશવાની તથા ગુજરાતની બહાર જવાની મનાઇ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તેને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા ઘણા રાજકીય લોકો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ફરી પાટીદાર નેતા હાર્દિક પટેલ સરકાર માટે કોઈ નવી મુશ્કેલી ઊભી ના કરે તેને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
गुजरात भाजपा ने जूठे मुक़दमे में जेल में भेजा था!लेकिन न्यायतंत्र पर विश्वास और सत्य की लड़ाई में हमारी जीत हूवी हैं।हमारी लड़ाई जारी रहेंगी pic.twitter.com/qUh5Oaie6G
— Hardik Patel (@HardikPatel_) September 9, 2017
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?







Click it and Unblock the Notifications
