Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાત ચૂંટણીઃ કોંગ્રેસની 'ફોજ'નું મોદી પર આક્રમણ

Congress
ગાંધીનગર, 12 નવેમ્બરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં બે તબક્કમાં યોજાનારી છે, જેને લઇને કોંગ્રેસે જોરશોરમાં પ્રચાર ઝુંબેશ આદરી છે. કોંગ્રેસના ટોચના નેતાઓ અને સાંસદો હાલ ગુજરાતમાં છે અને જાહેર સભાઓ ગજવી રહ્યાં છે. કોંગ્રેસે 12 જિલ્લાઓમાં 12 સભાઓ યોજી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. ગાંધીનગર ખાતે યોજાયેલી સભામાં કેન્દ્રીયમંત્રી આનંદ શર્માએ કહ્યું હતું કે, જીડીપીમાં ગુજરાત ઘણું પાછળ છે, ગુજરાત કરતા બિહાર અને છત્તીસગઢની સ્થિતિ ઘણી સારી છે.

ગાંધીનગરમાં મોદીને ગોડસે ગણાવતા કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, સત્યના માર્ગે ચાલનારા ગાંધીના ગુજરાતમાં અસત્ય વધારે ચાલે છે. ગુજરાતમાં ખેડૂતોને વીજળી મોંઘી હોવાના કારણે આત્મહત્યા કરવી પડે છે અને મોદી સરકાર ગુજરાતમાં પેદા થતી વીજળીને બીજા રાજ્યોમાં વેચીને લાભ ખાટી રહી છે. જ્યારે મહેસાણામાં તેમણે કહ્યું કે, જો લોકાયુક્તની નિમણૂક કરવામાં આવે તો હાલના મંત્રીમંડળના મોટાભાગના સભ્યો ગાંધીનગર નહીં પણ જેલમાં હોય. કોંગ્રેસ સત્તા પર આવશે તો સબસિડીવાળા ૬ને બદલે ૧ર બાટલા આપશે. ગાંધીનગરમાં નિવૃત આઇપીએસ અધિકારી રાજન પ્રિયદર્શીએ મોદી પર આક્ષેપો કરતાં કહ્યું કે,' ગુજરાતમાં મોદીના ઇશારે કોમી રમખાણો થયા હતા. અમદાવાદમાં ૧૯૮૫ના રમખાણોમાં પણ મોદીનો હાથ હતો. જગન્નાથ મંદિરમાંથી તમામ રમખાણોનો દોરીસંચાર કરાયો હતો.

મહેસાણામાં સંબોધતા હરિયાણા સરકારના મંત્રી રણદીપસિંહ સૂરજેવાલે કહ્યું કે,' ગુજરાતમાં ભાજપની સરકારમાં જો કોઇનું સૌથી વધુ શોષણ થયું હોય તો ખેડૂતોનું થયું છે. હરિયાણા પણ ગુજરાતની જેમ ખેડૂત રાજ્ય છે પરંતુ હરિયાણામાં ખેડૂત ગુજરાતની સરખામણીએ સારી સ્થિતિમાં છે.

વિરમગામમાં એક સંમેલનમાં અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર ઉત્સવો જ ઉજવી રહી છે, તેમના દ્વારા એટલા બધાં ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે કે હવે માત્ર હવે રાજકીય મરણોત્સવ જ ઉજવવાનો ભાજપને બાકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

નડિયાદમાં કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે જણાવ્યું કે, મોદી કેન્દ્ર સરકારે કામોને પણ પોતાના ગણાવી લોકોને છેતરી રહ્યાં છે, જેનાથી દૂર રહી પ્રજાએ શાનપણ બતાવવાની જરૂર છે. આ વખતે દિવાળીની ઉજવણી ૨૦મી ડિસેમ્બરે કરવાની છે. રામની વાત કરનારા આજે રામને ભુલી ગયા છે. બની શકે કે આ લોકો હવે ગાંધી અને સરદારને ભૂલી જાય.

મોરબીમાં ડો.પ્રભાબેન ઠાકુરે કહ્યું કે ગુજરાતમાં દાદાગીરી અને ખંડણીનું રાજકારણ છે. મોદીએ ગુજરાતને ગૌરવ અપાવવાના બદલે શરમજનક સ્થિતિમાં મુક્યું છે. ગુજરાતમાં ખંડણી વસુલવાનો કાર્યક્રમ મોટા પાયે ચાલાવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં મોદી કચરો છે, આ દિવાળીએ હવે તેને સાફ કરી નાખો.

હિંમતનગરમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી અજય માકને જણાવ્યું કે,' ભાજપ સરકારે વિકાસનાં નામે ભ્રષ્ટાચાર કરી ગુજરાતને વિકાસમાં પાછળ રાખી દીધું છે. ખોટી માહિતીઓ અને ભ્રામક જાહેરાત કરીને ગુજરાતની પ્રજાને ભરમાવવાનો પ્રયત્ન કરાય છે. ગુજરાતના ૪૦ ટકાથી વધુ લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યાં છે. ગુજરાતની પ્રજાએ ભાજપના અડધડ વહીવટને જાકારો આપીને કોંગ્રેસને વિજય બનાવાની છે.

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે,' ગડકરીએ સ્વામી વિવેકાનંદનું અપમાન કરીને દેશની પ્રજાની લાગણી દુભાવી છે. કોંગ્રેસની ઘરનું ઘર યોજનાને બહેનોનો ભારે પ્રતિસાદ સાંપડ્યો છે. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હાંકી કાઢો.

ભાવનગરમાં કેન્દ્રીય કેબીનેટ મંત્રી હરીશ રાવતે કહ્યું હતુ કે, 'છેલ્લા ૯ વર્ષથી ભાજપ સરકાર ગુજરાતમાં લોકાયુક્તની નિમણુંક કરવાથી કેમ ગભરાય છે ? એક તરફ ભાજપ કેન્દ્ર સરકાર પર લોકપાલ લાવવા દબાણ કરે છે તો બીજી બાજુ ગુજરાતમાં લોકાયુક્તની નિમણુંક કરાતી નથી. ખોટો જશ ખાટવા માટે મોદી કેન્દ્રના કામોને પોતાના નામે ચઢાવી 'મેં કર્યું મે કર્યું તેમ કહે છે અને કામ ના થાય તો કોંગ્રેસ ખોટા આક્ષેપ કરે છે. ભાવનગરના વિકાસ માટે ભાજપ સરકારે શું કર્યું ? મને જાણવા મળ્યું છે ત્યાં સુધી ભાવનગર માટે એક પણ કામ ભાજપ સરકારે કર્યું નથી.

ભરૂચમાં મુકુલ વાસનિકે કહ્યું કે, ગાંધીની ભૂમિ ગુજરાતમાં ગોડસેની વિચારધારા ન નીકળી શકે. નફરતની વિચારધારા ગુજરાતની પ્રજા છોડી રહી છે અને સત્યનો સાથ આપી રહી છે, આમ નાગરીક હવે કોંગ્રેસની સરકાર અને કોંગ્રેસની વિચારધારાને અપનાવી રહ્યા છે. ડો.તુષાર ચૌધરીએ કહ્યું કે, ભરૂચ જિલ્લો અહેમદ પટેલનો જિલ્લો છે. એહમદ પટેલે ભરૂચ જિલ્લાના વિકાસ માટે ઘણાં કાર્યો કર્યા છે. ગુજરાતની સરકારે શું કર્યુ ? રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની ટીકા કર્યા સિવાય કશું કર્યુ નથી. મહારાષ્ટ્રના કાપડ મંત્રી આરીફ નશીમ ખાને ગુજરાતની ભાજપ સરકાર હથેળીમાં ચાંદ બતાવવાનું કામ કરી રહી હોવાનું કહ્યું છે.

ગાંધીનગરમાં સંદીપ દીક્ષિતે કહ્યું કે, ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી. રાજ્યમાં મહિલાઓને ખરાબ દૃષ્ટિથી જોવામાં આવે છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. રાજ્યનો વિકાસ માત્ર કાગળ પર દેખાય છે. વાસ્તવિક્તા અલગ છે. રાજ્ય સરકાર છેલ્લાં ૧૫ વર્ષથી ઘરવિહોણાં લોકોને મકાન આપવામાં નિષ્ફળ રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X