ચેતેશ્વર પૂજારાએ લીધી ગોંડલની મુલાકાત, લીધા ગુરૂના આશીર્વાદ
જાણો કોણ છે ચેતેશ્વર પૂજારાના ગુરુ જેમને ચેતેશ્વર અને તેમનો પરિવાર ખૂબ જ માને છે. વિગતવાર જાણો અહીં.
રવિવારે ભારતીય ક્રિકેટનો સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ગોંડલ પહોંચ્યો હતો. ગોંડલ ખાતે ચેતેશ્વર જે ગુરુમાં માને છે તેવા હરિચરણદાસ બાપુનો જન્મદિવસ હતો. પરિવાર સમેત પહોંચેલા ચેતેશ્વરે અહીં આરતી લઇને ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા. નોંધનીય છે કે ખુદ ઓછા લોકો જાણે છે કે ચેતેશ્વર પૂજારા ગોંડલના જે હરિચરણદાસ બાપુમાં માને છે તે કોણ છે? ત્યારે જાણો આ અંગે થોડું વધુ.

ગુજરાતના લોકલાડીલા ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ રવિવારે ગોંડલના રામજી મંદિર ખાતે સદગુરુદેવ હરિચરણદાસ મહારાજની અધ્યક્ષતામાં રામ નવમી મહોત્સવ નિમિત્તે ચાલતા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ 11 એપ્રિલ સુધી ચાલવાનો છે. જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. રવિવારે મંદિરના મહંત હરિચરણદાસ બાપુની 96મી જન્મજયંતી હોવાના કારણે ચેતેશ્વર પૂજારાએ પત્ની પૂજા સાથે આરતી ઉતારી હરિચરણદાસ બાપુના આશિર્વાદ લીધા હતા.

પૂજારાએ શું કહ્યું
આ પ્રસંગે ચેતેશ્વર પૂજારાએ હાજર મીડિયાને જણાવ્યું હતું કે આજે મારા ગુરૂ હરિચરણદાસ બાપુનો જન્મદિવસ છે. માટે હું બાપુના દર્શન કરવા આવ્યો છું. વધુમાં તેમણે કહ્યું કે હું દર વર્ષે બાપુના જન્મદિવસ પર આવું છું અને તેમના આશીર્વાદ લઉં છું.

કોણ છે આ ગુરુ?
હરિચરણદાસ બાપુ રાજકોટના સદગુરૂ સદન આશ્રમના સ્થાપક અને માનવ ધર્મના પ્રણેતા પરમ પૂજ્ય રણછોડદાસ બાપુના પટશિષ્ય છે. તેમજ ગોંડલ રામજી મંદિરના મહંત છે. હરિચરણદાસ બાપુ ક્યારેય પોતાનો જન્મદિવસ ઉજવતા નથી. તેમજ અન્ય કોઇએ પણ જન્મદિવસની ઉજવણી ન કરી તે દિવસે થાય તો ધાર્મિક કાર્યો કરવાનો ઉપદેશ આપે છે. નોંધનીય છે કે ચેતેશ્વર પૂજારાનો સમગ્ર પરિવાર તેમનામાં ખૂબ જ માને છે અને ચેતેશ્વર કોઇ પણ સારા કાર્ય કરતા પહેલા અહીં દર્શન કરવા અને આશીર્વાદ લેવા ખાસ આવે છે.

-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય












Click it and Unblock the Notifications
