જાણો તમારા ઉમેદવારને: જામનગર ઉત્તરથી ભાજપના ધર્મેન્દ્રસિંહ જાડેજા
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં જામનગર ઉત્તરની સીટ પરથી ભાજપના ધર્મેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં જામનગર ઉત્તરની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાની પસંદગી કરવામાં આવી છે. તો ધર્મેન્દ્રસિંહ જાડેજા વિષે થોડુ જાણીએ. 40 વર્ષના ધર્મેન્દ્રસિંહ જાડેજા પર અત્યાર સુધીમાં 4 ગુનાહિત કેસ નોંધાયા છે. તેમની પાસે 20 કરોડથી પણ વધારે સંપત્તિ છે. તેમના પત્ની ગૃહિણી છે, તેમણે વર્ષ 2012માં ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ ગાંધીનગર સેન્ટર પરથી હાઇસ્કુલનો અભ્યાસ કર્યો છે.

2012માં જામનગર ઉત્તરની સીટ કોંગ્રેસની કબજામાં હતી. ધર્મેન્દ્રસિંહ આ સીટ પરથી 2012ની વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને ભાજપના મુલુભાઈ બેરાને હાર આપી હતી. પરંતુ કોંગ્રસમાંથી તેમને આ વર્ષની ચૂંટણીમાં ટિકિટ ન મળવાને કારણે તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. આ સીટ પરથી ધર્મેન્દ્રસિંહ જાડેજા વિજેતા થયા હતા. આથી તેમને ભાજપે ફરી આ સીટ પરથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ











Click it and Unblock the Notifications
