જીત્યા બાદ મોદીએ રમખાણોની માગી લીધી માફી?

મોદીએ જાણીજોઇને હિન્દીમાં ભાષણ કર્યું?
નરેન્દ્ર મોદીએ વિજય સભાને જાણીજોઇને હિન્દીમાં સંબોધી હતી. જેના કારણે તેઓ નેશનલ મીડિયા દ્વારા આખા દેશની જનતાને સંબોધવા માગતા હતા. માટે તેમણે નેશનલ મીડિયાને ટાર્ગેટ કરી જાણીજોઇને હિન્દીમાં ભાષણ કર્યું હતું જેના કારણે તેઓ નેશનલ ઓડિયન્સ સુધી પોતાનો સંદેશો પહોંચાડી શકાય, અને રાષ્ટ્રીય સ્તરે પોતાની શાખ વધુ સારી બનાવી શકાય.
ગુજરાતની પ્રજા પર મોદી થયા ઓળઘોળ
મોદીએ પોતાના ભાષણમાં તેમને ફરી વિજય બનાવવા બદલ ગુજરાતની છ કરોડ ગુજરાતીઓનો આભાર માન્યો હતો. મોદીએ વારંવાર કહ્યું હતું કે આજે મને મારા છ કરોડ ગુજરાતીઓને સાષ્ટાંગ દંડવત કરવાનું મન થાય છે. મોદીએ કહ્યું કે કોઇને કંઇ શીખવું હોય તો તે ગુજરાતની છ કરોડ જનતા પાસે શીખે જેમણે 70.75 ટકા જેટલું મતદાન કર્યું અને તે પણ બીજેપીને ફરીથી સત્તામાં લાવવા માટે. તેમણે પોલિટિકલ પંડિતોને પણ જીતનો શ્રેય બીજેપીને નહી બલકે ગુજરાતના મતદારોને આપવા જણાવ્યું. તેમણે કહ્યું કે આજે કોઇની ચર્ચા કરવી હોય અને આજનો કોઇ હીરો જે તો એ છે ગુજરાતની છ કરોડ જનતા.
જીત્યા બાદ મોદીએ રમખાણોની માગી લીધી માફી?
મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે 'મને એ વાતની ખુશી છે જે સંસ્કારો મને મળ્યા છે તેમાં મે ઓછપ આવવા દીધી નથી, તણાવોની વચ્ચે પણ મે મારા સંસ્કારો અનુરુપ વર્તવાવો પ્રયત્ન કર્યો છે. છતાં પણ ક્યાય મારાથી કમી રહી ગઇ હોય, ક્યાય મારાથી ભૂલ થઇ ગઇ હોય તો હું અત્યારે જ મારા છ કરોડ ગુજરાતી ભાઇ-બહેનનોની માફી માગું છું.' મોદીએ પોતાના ભાષણમાં ગુજરાતની જનતાની માફી માગી લીધી, જે એવો સંકેત પણ આપે છે કે તેઓ હવે તેમની મુસ્લીમ વિરોધી છબિ સુધારવા માગે છે અને આગે(દિલ્હી) કદમ માંડવા માગે છે.
મોદી નથી ઇચ્છતા કે ગોધરાકાંડ જેવા રમખાણો ફરી થાય?
મોદીએ એવું પણ જણાવ્યું કે 'તમે અમને સત્તા આપી પરંતુ હવે આશીર્વાદ આપો કે જેથી અમારાથી કોઇ ભૂલ ના થાય, તમે આશીર્વાદ આપો કે ભૂલથી પણ અમારા હાથોથી કોઇનું ખરાબ ના થાય.' એવું કહી શકાય કે 2002ના રમખાણોનો મોદીને પણ વસવસો છે અને તેઓ પોતે એવું નથી ઇચ્છતા કે ગોધરાકાંડ જેવો બીજો કોઇ કાંડ ફરીથી થાય. અત્રે ઉલ્લેખનીય છે કે મોદીએ ગોધરા-અનુગોધરાના પ્રાયશ્ચિતરૂપે તેમણે સદભાવના ઉપવાસો યોજ્યા હતા.
મોદીએ પ્રધાનમંત્રી બનવાની તૈયારી શરૂ કરી દીધી?
નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે 'આ વિજય નરેન્દ્ર મોદીનો નહી, આ વિજય ભાજપનો નહીં પણ આ વિજય ગુજરાતની જનતાનો છે, આ વિજય હિન્દુસ્તાનના એ નાગરીકોનો છે જે વિકાસ, સુખ અને શાંતિ માટે સદીઓથી તડપતા રહ્યા છે. કોઇ આસામમા રહેતું હશે, કોઇ કેરેળમાં રહેતું હશે, કોઇ જમ્મુ-કાશ્મીરમાં રહેતું હશે, દેશના ખુણે-ખુણામાં રહેનાર એ દરેક નાગરિકોનો આ વિજય છે જે દેશનું ભલુ ઇચ્છે છે.' મોદીએ જાણી જોઇને પોતાનું ભાષણ હિન્દીમાં કર્યું અને પોતાના ભાષણમાં ગુજરાતની પ્રજાની સાથે સાથે દેશના દરેક નાગરિકોનો વિજય ગણાવ્યો જે દર્શાવે છે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બનવાની પોતાની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે.
વાચકોના વિચારો અને મંતવ્યો આવકાર્ય
-
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન?




Click it and Unblock the Notifications
