For Quick Alerts
For Daily Alerts
ઉશ્કેરણીજનક ભાષણ બદલ શંકરસિંહ વાઘેલાને નોટિસ
વાઘેલા સામે કરવામાં આવેલી ફરિયાદ બાદ પંચે નોટિસ પાઠવવાનું નક્કી કર્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ અંગે અહેવાલ આપવામાં આવ્યો છે. નોટિસ પાઠવતા પહેલા તેમણે શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામા આવેલા ભાષણ અંગનું વીડિયો રેકોર્ડિંગ પણ મેળવ્યું હતું.
31મી ઓક્ટોબરે સુરતના બીઆરસી ગેટ ગ્રાઉન્ડ ખાતે જનમેદનીને સંબોધતીવેળા તેમણે મુસ્લિમ વોટબેન્ક હાંસલ કરવા માટે ગોધરાકાંડ પછીના રમખાણોનો ઉલ્લેખ પોતાના ભાષણમાં કર્યો હતો. ભાષણમાં તેમણે ગોધરાકાંડ પછીના રમખાણો સાથે મોદીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારને દોષિત ઠેરવી હતી. કોંગ્રેસમાં જોડાયા તે પહેલા શંકરસિંહ વાઘેલા ભાજપમાં હતા. ગુજરાતમાં ડિસેમ્બરમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઇ રહી છે અને તેનું પરિણામ 20 ડિસેમ્બરે જાહેર થશે.
Comments
election commission congress leader shankersinh vaghela gujarat assembly election 2012 ચૂંટણી પંચ કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 પ્રચાર
English summary
The Election Commission decided today to issue a notice to Congress leader Shankersinh Vaghela for allegedly making hate speeches while campaigning in poll bound Gujarat.