Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં ચાલશે મોદી મેજીક! રેકોર્ડ બ્રેક જીત માટે ભાજપે બનાવ્યો આ પ્લાન
એવું માનવામાં આવે છે કે, જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017ની વિધાનસભા ચૂંટણીના છેલ્લા રાઉન્ડમાં પ્રચારની કમાન સંભાળી ન હોત તો બીજેપીએ ત્યાં ફરીથી સરકાર ન બનાવી હોત.
Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ આ વખતે ભાજપ 2017 જેવું કોઈ જોખમ લેવા તૈયાર નથી. એવું માનવામાં આવે છે કે, જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017ની વિધાનસભા ચૂંટણીના છેલ્લા રાઉન્ડમાં પ્રચારની કમાન સંભાળી ન હોત તો બીજેપીએ ત્યાં ફરીથી સરકાર ન બનાવી હોત. આથી આ વખતે ભાજપ હાઈકમાન્ડ 2017ની જેમ કોઈ જોખમ લેવા તૈયાર નથી અને ચૂંટણીના કેટલાક મહિનાઓ પહેલા જ ભાજપ હાઈકમાન્ડે બાજી મારી લીધી છે.

વડાપ્રધાન મોદી અને અમિત શાહ બેઠક યોજી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સતત દિલ્હીથી ગુજરાત સુધી સભાઓ કરી રહ્યા છે, ચૂંટણીની રણનીતિ પરચર્ચા કરી રહ્યા છે, ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે અને રેલીઓ, કાર્યક્રમો અને રોડ શો કરી રહ્યા છે.
આ સાથે જ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષજેપી નડ્ડા અને રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી. એલ. સંતોષ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વ્યૂહરચના સંદર્ભે ઝીણવટભર્યા મુદ્દાઓપર ઉંડાણપૂર્વક ચર્ચા કર્યા બાદ જ નિર્ણય લઈને રણનીતિને આખરી ઓપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જોખમ લેવા તૈયાર નથી ભાજપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને રાજ્યમાં તેની બંને સરકારોની સિદ્ધિઓનો સંપૂર્ણ લાભ લેવા માટે, ભાજપે વિધાનસભાની કુલ182 બેઠકોમાંથી 150 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે, જોકે તે 1995થી રાજ્યમાં સતત ચૂંટણી જીતી રહ્યું છે.
બીજેપી અત્યાર સુધી ક્યારેય127થી વધુ સીટો જીતી શકી નથી. 1995, 1998, 2002, 2007 અને 2012ની સળંગ પાંચ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ રાજ્યની કુલ 182વિધાનસભા બેઠકોમાંથી 115 થી 127 બેઠકો જીતીને સરકાર બનાવી રહી છે, પરંતુ 2014માં મોદી વડાપ્રધાન બન્યા બાદ, 2017નીવિધાનસભા ચૂંટણીમાં BJP 100થી ઓછા આંક પર પહોંચી હતી. 2017માં ભાજપ માત્ર 99 સીટો જીતી શકી હતી. તેથી જ ભાજપ આ વખતેકોઈ જોખમ લેવા તૈયાર નથી.

150 બેઠકો જીતવાનું લક્ષ્ય
વધુમાં વધુ 150 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા ભાજપે તેના પરંપરાગત શહેરી મતદારોતેમજ આદિવાસી, ઓબીસી, દલિત અને પાટીદારોને ધ્યાનમાં રાખીને ખાસ રણનીતિ બનાવી છે. ભાજપનો પ્રયાસ કોંગ્રેસની પરંપરાગતવોટબેંકમાં ખાડો પાડવાનો છે, તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ કોંગ્રેસનું પ્રભુત્વ ધરાવતા આદિવાસી બહુલ વિસ્તાર દાહોદની મુલાકાતલઈને આદિવાસી મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.

182 બેઠકોમાંથી 27 બેઠકો અનામત છે
ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર, પંચમકાલ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ અને સુરતની હારમાં મહત્વનો ભાગ ભજવે છે.
રાજ્યમાં 13 વિધાનસભા બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. રાજ્યની લગભગ 12 ટકા વસ્તી ધરાવતા પાટીદાર સમાજને સંતોષવામાટે તાજેતરમાં તેમના યુવા ચહેરા હાર્દિક પટેલનો ભાજપમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે, આગામીદિવસોમાં વિવિધ સમાજના અન્ય ઘણા લોકપ્રિય નેતાઓ પણ ભાજપમાં જોડાશે.

મોટા નેતાઓ રાજ્યની સતત મુલાકાત લઈ રહ્યા છે
જેપી નડ્ડાએ તાજેતરમાં દિલ્હીમાં વિવિધ મોરચાઓ સાથે એક ખાસ સમુદાય સુધી પહોંચવાની વ્યૂહરચના અમલમાં મૂકવા માટે એકમહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જ્યારે મોદી અને શાહ રાજ્યના રાજકીય તાપમાનની સમીક્ષા કરવા માટે સતત રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, જેમ જેમ ચૂંટણીની તારીખો નજીક આવશે, તેમ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતોની સંખ્યામાં પણવધારો થશે.

ગત ચૂંટણીમાં માત્ર 99 બેઠકો જીતી હતી
હકીકતમાં, 2017ની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ માત્ર 99 બેઠકો જીતી શકી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી.મતદાનની ટકાવારીની વાત કરીએ તો ભાજપને 49 ટકા મતદારોનું સમર્થન મળ્યું છે, જ્યારે કોંગ્રેસે પણ રાજ્યમાં 41.5 ટકા મતો સાથેભાજપને ટક્કર આપી છે.
પોતાના મજબૂત ગઢમાં આ આંચકો મળ્યા બાદ ભાજપે તક મળતાં જ મુખ્યમંત્રીની સાથે સાથે રાજ્યમાં આખીસરકાર બદલી નાખી અને હવે 2022 ના અંતમાં ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં 150 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

ભાજપની પ્રયોગશાળા ગણાય છે ગુજરાત
વાસ્તવમાં ગુજરાત ભાજપનો મજબૂત ગઢ તેમજ ભાજપની પ્રયોગશાળા ગણાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનુંગૃહ રાજ્ય હોવાના કારણે ગુજરાત ભાજપ માટે પણ ખૂબ મહત્વનું છે. તેથી આ વખતે રાજ્યની વિધાનસભાની ચૂંટણીની રણનીતિનેઅમલમાં મૂકવાની જવાબદારી ખુદ ભાજપ હાઈકમાન્ડે લીધી છે અને ચૂંટણીમાં પૂરી તાકાતથી ઝંપલાવવાનું પણ નક્કી કર્યું છે.
-
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
