ગુજરાતમાં NCP એકલી લડશે, કોંગ્રેસને કદર નથી : પ્રફુલ્લ પટેલ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એનસીપીએ કોંગ્રેસનો સાથ છોડ્યો. આ વખતની ચૂંટણીમાં એનસીપી એકલી જ લડશે તેમ તેના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ગુજરાતમાં રાજકારણના નવા નવા સમીકરણો સામે આવી રહ્યા છે. ગુજરાતમાં જ્યાં એક તરફ પહેલા કોંગ્રેસ એનસીપી સાથે લડવાની વાતો કરી રહી હતી ત્યાં જ આજે એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે આ મામલે રદિયો આપ્યો છે. પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે આ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી એનસીપી કોંગ્રેસ સાથે નહીં લડે. વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ સાથે જોડાણ કરવા માટે શરૂઆતમાં કોંગ્રેસ વાતચીત થઇ હતી. પણ તે એનસીપીને લઇને ગંભીર નથી. અને આજ કારણે જોડાણની વાતોનો વધુને વધુ મોડું થઇ રહ્યું છે. અને આ જ કારણ છે કે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી અમે એકલા જ લડવાનું વિચારીએ છીએ.

'રાહુલ ગાંધીએ અમારી સાથે બેઠકો શા માટે કરી?'
અમદાવાદમાં પત્રકાર પરિષદ સંબોધતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં એનસીપીના 100 ઉમેદવારો ચૂંટણી લડશે. એનસીપી છેલ્લા બે અઠવાડિયાથી કોંગ્રેસ સાથે બેઠક કરી રહ્યું છે અને આમ છતાં કોંગ્રેસની પ્રથમ યાદીમાં એનસીપીને અન્યાય થયો હોવાનું જણાઇ રહ્યું છે. કોંગ્રેસ ગઠબંધનના ધર્મની વિરુદ્ધનું કામ કરી રહી છે. અમારી સાથે જોડાણ નહોતું કરવું તો રાહુલ ગાંધીએ અમારી સાથે બેઠકો શા માટે કરી? અમે આવતીકાલે પ્રથમ યાદી જાહેર કરીશું અને આ યાદી 100થી વધીને 120 કે 150ની પણ થઇ શકે છે.
'એકલા હાથે લડીશું ચૂંટણી'
સાથે જ એનસીપીના પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે તેમને વિશ્વાસ છે કે એકલા હાથ પણ કોંગ્રેસ વગર ગુજરાતમાં એનસીપી સારી એવી લડત આપશે. આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જ્યાં એક બાજુ પાસ અને પાટીદારોને ખુશ કરવા ગઇ ત્યાં તેને જૂની પાર્ટી એનસીપીએ તેનો સાથ છોડી એકલી ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. અને હાલની પરિસ્થિતિ જોતા કોંગ્રેસ અને પાસ વચ્ચે પણ ખટરાગ વધ્યો છે તે જોતા કોંગ્રેસની હાલત બાવાના બેય બગડ્યા જેવી થઇ છે. ઉલ્લેખનીય છે કે, પ્રફુલ્લ પટેલે નવેમ્બર મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ સાથે પણ મુલાકાત કરી હતી અને ત્યારે એનસીપી અને પાટીદાર ગઠબંધનની વાતો પણ વહેતી થઇ હતી.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
