જિંદાલ નેચર કેરમાં ઈલાજ કરાવશે હાર્દિક, બેંગ્લોર પહોંચ્યો
જિંદાલ નેચર કેરમાં ઈલાજ કરાવશે હાર્દિક, બેંગ્લોર પહોંચ્યો
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ હાલ બેંગ્લોરમાં છે. 19 દિવસના ઉપવાસ બાદ હાર્દિક પટેલનું શરીર નબળું પડી ગયું હતું. જિંદાલ નેચરક્યોરમાં 10 દિવસની ટ્રિટમેન્ટ કરાવવા માટે હાર્દિક પટેલ મંગળવારે સવારે બેંગ્લોર પહોંચી ગયો છે. જણાવી દઈએ કે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન દરમિયાન તબિયત લથડતાં તેને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન શરદ યાદવે હાર્દિકને પાણી પાયું હતું. ટ્રિટમેન્ટ બાદ હાર્દિકે ફરી ઉપવાસ આંદોલન સક્રિય કર્યું હતું અને 12મી સપ્ટેમ્બર બુધવારે હાર્દિકે પારણાં કરી લીધાં હતાં.

હાર્દિક પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, 'અમારા કૃષક મહારાજા કેમ્પા ગૌડાની પવિત્ર ભૂમિ કર્ણાટકની આઈટી સિટી બેંગ્લોર પહોંચ્યો. ઉપવાસ બાદ સ્વાસ્થ્યને ઠીક અને મજબૂત કરવા માટે જિંદાલ નેચરો કેસમાં ટ્રિટમેન્ટ કરાવીશ. પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિથી તન-મન મજબૂત કરી સમાજના સંઘર્ષ માટે પુનઃ મજબુત થવા ઈલાજ કરાવવા આવ્યો છું.' એક બાજુ હાર્દિક પટેલ બેંગ્લોરમાં ઈલાજ કરાવવા માટે આવ્યો છે ત્યારે બીજી બાજુ ગુજરાતમાં એસપીજીના લાલજી પટેલે સરકાર સામે બાંયો ચઢાવી છે અને તેઓએ પણ આંદોલન સક્રિય કરવાની ચીમકી ઉચ્ચારતાં સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું.
જિંદાલમાં 10 દિવસ માટે હાર્દિકે તારીખ બુક કરાવી દીધી છે. જિંદાલના સ્પોકપર્સને કહ્યું કે ઈન્સ્ટિટ્યૂટે હાર્દિક પટેલને ઈમેલ મોકલીને સ્પષ્ટતા કરી દીધી છે કે તેઓ અહીં ટ્રિટમેન્ટ કરાવવા તો આવી શકે છે પણ જ્યાં સુધી જિંદાલ નેચર કેરમાં રહે ત્યાં સુધી અહિં કોઈપણ પ્રકારની પોલિટિકલ મિટિંગ કે ચર્ચા ન થવી જોઈએ. જણાવી દઈએ કે અહીં હાર્દિક પોતાના કેટલાક સહાયક સાથે રોકાશે.
આ પણ વાંચો- સરકારને છંછેડવા હાર્દિક બાદ હવે એસપીજી આવ્યું મેદાને, આંદોલનાત્મક કાર્યક્રમો કર્યા જાહેર
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
