'અક્ષરધામ હુમલાની અને અ'વાદમાં સિરિયલ બ્લાસ્ટની મોદીને હતી પહેલેથી જાણ'
અમદાવાદ, 31 જાન્યુઆરી: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સામે કોંગ્રેસની જ્યારે દરેક ચાલ અને ષડયંત્ર નિષ્ફળ ગયું ત્યારે તેણે એક નવો જ મુદ્દો ઉછાળીને નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોશીશ કરી છે.
કોંગ્રેસના મહાસચિવ મધુસૂદન મિસ્ત્રીએ નરેન્દ્ર મોદી પર શંકા વ્યક્ત કરતા જણાવ્યું કે તેમને 2002માં ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરમાં થયેલા આતંકી હુમલા અને જુલાઇ 2008માં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ અંગે પહેલેથી જ જાણકારી હતી.
અત્રે નોંધનીય છે કે અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઇમ્સ નાઉને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં પણ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત રમખાણો માટે મોદીને જવાબદાર ગણાવ્યા છે. જ્યારે ગુજરાત રમખાણોના મામલામાં મોદીને ક્લીન ચિટ મળી ચૂકી છે. માટે કોંગ્રેસ હવે નરેન્દ્ર મોદીને એક નવા મુદ્દાના આધારે ઘેરવાની કોશીશ કરી રહી છે.













Click it and Unblock the Notifications
