Gujarat Election 2017: 9 અને 14 ડિસેમ્બરે ગુજરાતમાં થશે મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત અંગે વિગતવાર વાંચો અહીં. ચૂંટણી પંચે બે તબક્કામાં 9મી અને 14ની ડિસેમ્બરે ગુજરાતમાં મતદાન કરાવશે. અને 18 ડિસેમ્બરે મતગણતરી થશે.
ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આ માટે ચૂંટણી પંચના કમિશ્નર અચલ કુમારે ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી થશે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે આજથી ગુજરાતમાં આચાર સંહિતા લાગું થશે. ઉલ્લેખનીય ેછે કે લાંબા સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો અંગે સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ થઇ રહી હતી. તે બાદ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ અંગે ચૂંટણી પંચ જાહેરાત કરી હતી. ત્યારે ચૂંટણી પંચની મહત્વની જાહેરાતો અંગે વધુ જાણો નીચે...

- ક્યારે થશે ગુજરાતમાં છે મતદાન
9 ડિસેમ્બર- 89 બેઠકો માટે 19 જિલ્લામાં મતદાન
14 ડિસેમ્બર- 93 બેઠકો માટે 13 જિલ્લામાં મતદાન
18 ડિસેમ્બરે - મતદાનનું પરિણામ
102 પોલિંગ બૂથ પર મહિલા સ્ટાફ હશે.

- તારીખ 9 અને 14 ડિસેમ્બરે ગુજરાતમાં થશે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન
- ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન
- 18 ડિસેમ્બરે ગુજરાતમાં થશે મતગણતરી.
- 4 કરોડ 30 લાખ લોકો આ ચૂંટણીમાં મતદાન કરશે
- 50,128 પોલિંગ બુથ શરૂ કરવામાં આવશે.
- આ ચૂંટણીમાં VVPAT નો પણ ઉપયોગ થશે.
- 22 જાન્યુઆરી સુધી વિધાનસભાનો કાર્યકાળ ચાલશે.
- આજથી ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થશે.
- 182 બેઠકો માટે 9 ડિસેમ્બરે પહેલા તબક્કાની ચૂંટણી થશે
- 9 ડિસેમ્બરે સૌથી પહેલા 89 બેઠકો પર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થશે
- 14 ડિસેમ્બરે બીજા તબક્કામાં 93 બેઠકોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મતદાન કરવામાં આવશે.
- મતદાનના સાત દિવસ પહેલા વોટિંગ સ્લીપ આપવામાં આવશે.
- 21 નવેમ્બર સુધી પહેલા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનું રહેશે.
- સંવેદનશીલ બુથ પર ચૂંટણીની ગતિવિધિઓ માટે વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે.
- એપ દ્વારા મતદારો ફરિયાદ નોંધાવી શકશે.
- ચૂંટણી રેલીનું પણ રેકોર્ડિંગ થશે.
- ઉમેદવારો આ ચૂંટણીમાં 28 લાખ સુધીનો ખર્ચ કરી શકશે.
- પહેલા તબક્કામાં 2.11 કરોડ મતદાર ભાગ લેશે. બીજા તબક્કા 2.21 કરોડ મતદાર મતદાનમાં ભાગ લેશે.

બીજી તરફ આજે ચૂંટણી પંચે ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર કરી રહ્યું છે ત્યારે તે અગાઉ જ રાજ્યના ક્લેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ માટે વિશેષ આદેશપત્ર બહાર પાડવામાં આવ્યા છે. અને તેમાં આચારસંહિતાનો અમલ કરવા માટે જણાવ્યું હતું. આ આદેશમાં જણાવાયું હતું કે આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે પ્રમાણે સરકારી જાહેરાત, બેનર્સ, પોસ્ટર્સ, હોર્ડિંગ તેમજ કટ આઉટ હટાવી લેવા પડશે. આ આદેશ 23 તારીખના રોજ બહાર પાડી દેવામાં આવ્યો હતો.
-
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી












Click it and Unblock the Notifications
