કિનારે થયું વ્હાર્ટન, અમેરિકા-કેનેડાના NRIને સંબોધશે મોદી
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે અમેરિકા અને કેનેડાના એનઆરઆઇને 10મી માર્ચના રોજ પોતાના ભાષણથી સંબોધીત કરશે. અને આ સંબોધન પણ મોદી વીડિયો કોંન્ફ્રેસિંગ દ્વારા કરશે. આ દરમિયાન એક ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમેરિકા અને કેનેડામાં રહેનારા ભારતીયો ભાગ લેશે. ચર્ચાનો સમય રવિવારે 10 માર્ચના રોજ સવારે 6:30 વાગ્યે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન ભાજપના મિત્ર જયેશ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના અધ્યક્ષ જયેશ પટેલે જણાવ્યું કે આમાં ખાસરીતે શિકાગો અને ન્યૂજર્સીમાં લોકોને મંચ પૂરું પાડવામાં આવશે. મોદી બંને સ્થાનો પર એકસાથે લોકોને સંબોધિત કરશે. આ દરમિયાન અમેરિકા અને કેનેડામાં ટીવી એશિયા પર લાઇવ ટેલિકાસ્ટ પણ કરાવવામાં આવશે.
ચોથીવાર ગુજરાતના મુખ્યમંત્રી બનેલા મોદી ભારતના સૌથી પ્રસિદ્ધ અને નિર્ભિક નેતા માનવામાં આવે છે. તેમણે જે રીતે ગુજરાતનો વિકાસ કર્યો છે તેને જોઇને વિશ્વના ઘણા દેશોએ ગુજરાતને મોડલ બનાવી અભ્યાસ શરૂ કરી દીધા છે. મોદીની ગવર્નેન્સ પર લોકો અધ્યયન કરી રહ્યા છે. મજાની વાત એ છે કે હવે વિદેશમાં રહેલા ભારતીયો પણ તેમની પાસે કંઇક શીખવા માગે છે.