મોરબીમાં કેદીઓની સુધારણા સાથે જેલનું નવિનીકરણ
મોરબી જેલનું થયું રિનોવેશન. જેલમાં કેદીઓને વાંચવા માટે લાઇબ્રેરી પણ બનાવાઇ છે. જાણો વધુ અહીં
કોઈ પણ સમયે ક્ષણિક આવેગમાં આવીને કે પછી કોઈ વિપરીત સંજોગો ઊભા થવાના કારણે ઘણા લોકો ગુનેગાર બની જતા હોય છે અને તેમના કરેલા કર્મોની સજા ભોગવવા માટે તેમને જેલમાં મોકલવામાં આવતા હોય છે જો કે, સરકાર દ્વારા જેલમાં જતા કેદીઓની સાથે પણ માનવીય વ્યવહાર કરવામાં આવે અને તેમને પણ સારી સગવડ મળે તેના માટેની દરકાર લેવામાં આવતી હોય છે. તેના ભાગ રૂપે મોરબીની જર્જરિત થયેલી સબ જેલનું રિનોવેશન હાથ ધરી તેમાં લાઈબ્રેરી, શિક્ષણ વિભાગ સહિતની સુવિધાઓ વધારવામાં આવી છે

સામાન્ય રીતે જેલ શબ્દ આવતા જ માણસના માનસપટ પર એક આગવુ ચિત્ર કંડારાઈ જતું હોય છે, પણ મોટા ભાગે ઊશ્કેરાટ અને આવેગમાં આવી જઈ ન કરવાનું કરી બેસતા માણસને પછી તેણે કરેલ ક્રૂ્ત્યનો પસ્તાવો થતો હોય છે. ત્યારે જેલમાં તેમને વાંચન જેવી સુવિધાઓ મળી રહે તે જરૂરી છે. આથી આગામી દિવસોમાં જેલ ''કેદી સુધારણા ગૃહ'' તરીકે ઓળખાય તે અંગે વિશેષ પરિપત્ર જાહેર કરી જેલને કેદી સુધારણા ગૃહ -કેન્દ્ર તરીકે આગવી ઓળખ આપવા નિર્ધાર કર્યો છે.
તેમજ કેદીઓના માનસ પરિવર્તન માટે જરૂરી પ્રશિક્ષણ ,લાઈબ્રેરી ,અભ્યાસખંડ થી લઈ કોમ્પ્યુટર અને ડીજીટલાઈઝેશનના ભાગ રૂપે જેલમાંથી કેદીને કોર્ટમાં લઈ જવાના બદલે સીધા જ લાઈવ નેટ થ્રૂ હાજર કરવા થી માંડીને પૌષ્ટીક ખોરાક પણ નિયમિત અપાય તે જરૂરી છે. જેલર પી.કે ગઢવી એ મોરબી જેલના આધુનિકીકીરણ અંગે જણાવ્યું હતું કે જેતે ગુના ની સજા બાદ સમાજ માં પરત ફરે ત્યારે કરેલ કાર્ય ના પ્રશ્ચાતાપ સાથે તેના માનસમાં પરિવર્તન સાથે સમાજમાં ભળવાના ગુણો વિકસે તે જરૂરી છે.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
