ગાંધીનગરઃ પડતર માંગણીઓને લઇને રિટાયર્ડ ફોજીઓની સૈનિક સન્માન યાત્રા યોજાઇ
લશ્કરી સેવામાંથી નિવૃત સૈનિકો તથા શહીદોના પરિવારો દ્વારા અમદાવાદથી ગાંધીનગર સુધી સૈનિક સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
લશ્કરી સેવામાંથી નિવૃત સૈનિકો તથા શહીદોના પરિવારો દ્વારા અમદાવાદથી ગાંધીનગર સુધી સૈનિક સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાહીબાગ, અમદાવાદ સ્થિત શહીદ સ્મારકથી પ્રારંભ થઈને ગાંધીનગર સચિવાલય પહોંચેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. માજી સૈનિકો અને તેમના પરિવારો દ્વારા તેમની પડતર માંગણીઓના નિવેડા માટે આ યાત્રા યોજાઇ હતી.

સૈનિકોને નિવૃત્તિ પછી નડતી અનેક સમસ્યાઓના નિરાકરણ માટે સોમવારે શાહીબાગ અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી સૈનિક સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. માજી સૈનિક સેવા ફાઉન્ડેશન અને ગુજરાત માજી સૈનિક સંગઠનના નેજા હેઠળ સચિવાલય પહોંચેલા પૂર્વ સૈનિકો અને શહીદોના પરિવારો દ્વારા વિવિધ ચૌદ મુદ્દાની માંગણી મુકવામાં આવી હતી.
મુખ્ય માંગણીઓમાં શહીદ પરિવારને એક કરોડની સહાય તથા પરિવારનાં એક સદસ્યને સરકારી નોકરી, ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્મારક તથા સૈનિકો માટે આરામ ગૃહ, સૈનિકો માટે રાજ્ય સરકાર તરફથી નોકરી માટેની અનામત, ખેતી માટે જમીન તથા રહેણાંક પ્લોટ, દારૂ માટે ભારતીય સેના દ્વારા અપાયેલી પરમીટને જ માન્ય ગણવી, કોન્ટ્રાક્ટ પધ્ધતિને બદલે સીધી ભરતી કરાય, હથિયારનું લાયસન્સ રીન્યુ કરવા માટે આગવી સુવિધા, પૂર્વ સૈનિકોના પરિવારની સમસ્યાઓના નિરાકરણ માટે કચેરીઓમાં તેની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે ખાસ સુવિધા ઉભી કરવી, પૂર્વ સૈનિકના નોકરીના કિસ્સામાં લશ્કરમાં કરેલી નોકરીનો ગાળો સળંગ ગણવામાં આવે, પાંચ વર્ષનાં ફિક્સ પગાર વાળી પદ્ધતિ પૂર્વ સૈનિકો માટે નાબૂદ કરવામાં આવે, પૂર્વ સૈનિકને પોતાના વતનમાં જ નોકરી આપવામાં આવે, ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં સૈનિકોના બાળકોને છૂટછાટ અપાય, સૈનિકોના બાળકોનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે અને સૈનિકો માટે લેવાતો વ્યવસાય વેરો માફ કરવાની માંગ કરવામાં આવી છે.
પૂર્વ સૈનિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઇને તેના નિરાકરણ માટે તા. ૧૩, જુનના દિવસે મુખ્ય સચિવ સાથે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ચારેક વર્ષથી રજૂઆત કરી રહેલા માજી સૈનિકોએ પોતાની માંગણીઓ માટે હવે આંદોલન ઉપર ઉતરી આવવું પડે એવી સ્થિતિ સર્જાય તો એ દેશની રક્ષા કરનારા જવાનોના પરિવારજનોની રક્ષા કરવા માટે તંત્ર સક્ષમ નહિ હોવાની પ્રતીતિ કરાવશે એવી પણ ચર્ચાઓ સ્થળ ઉપર સાંભળવા મળી હતી.
-
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
