સૌહરાબ કેસઃ નવ આરોપીને મુંબઇ મોકલાયા

જે નવ આરોપીઓને મુંબઇની જેલમાં મોકલવામા આવ્યા છે તેમા, સસ્પેન્ડેડ આઇપીએસ ઓફિસર ડીજી વણઝારા, રાજકુમાર પાન્ડિયન અને દિનેશ એમ એન પણ છે. સુપ્રીમો કોર્ટ દ્વારા સૌહરાબુદ્દિન કેસને મહારાષ્ટ્રમાં શિફ્ટ કરવામાં આવે તેવા આદેશ આપ્યો હતો, જેના અનુંસધાને હવે કડક સુરક્ષા સાથે ઉક્ત આરોપીઓને પણ મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા છે.
આ કેસના અન્ય બે આરોપીઓ અભય ચુડાસમા અને એન કે અમિને તેમના સ્વાસ્થ્યનો મુદ્દો ઉપાડ્યો છે જો કે, સૂત્રોના કહેવા પ્રમાણે એ બન્નેને પણ ઉક્ત આરોપીઓની સાથે જ રજૂ કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી અભય ચુડાસમા નડિયાદની જેલમાં અને અમિન વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે.
જેલ વ્યવસ્થાપકો દ્વારા આરોપીએને કડક સુરક્ષા પુરી પાડવા માટે 52 સભ્યોની ટીમ નિયુક્ત કરી હતી. ડીસીબી મયકસિંહ ચાવડાના નેતૃત્વ હેઠળની ટીમમાં એસીપી, ચાર પોલીસ ઇન્સપેક્ટર, છ પોલીસ સબ ઇન્સપેક્ટર, 20 'ચેતક' બ્લેક કેટ કમાન્ડો, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચના 20 પોલીસ કોન્સેટબલ હતા. વણઝારા અને પાન્ડિયનને અલગ વાહનમાં લઇ જવામાં આવ્યા હતા.
'વણઝારાને ઝેડ પ્લસ કેટેગરીની સિક્યોરિટી આપવામાં આવી છે અને તેથી તેની સુરક્ષા સબબ તેને અલગ વાહનમાં લઇ જવામાં આવ્યા છે. ગુજરાતમાં સૌહરાબુદ્દિન કેસમાં યોગ્ય રીતે ન્યાય નહીં મળી શકવાની સીબીઆઇ દ્વારા રજૂ કરવામાં અપીલ બાદ 27 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે આ કેસને મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરવામાં આવે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
