''શાકભાજી વેચીને કરોડપતિ બન્યા MBAના વિદ્યાર્થી''

દેશની ટોચની મેનેજમેન્ટ સંસ્થા આઇઆઇએમ અમદાવાદમાંથી 2007માં એમબીએની ડિગ્રી પ્રાપ્ત કરનાર કૌશલેન્દ્ર કુમારે નોકરી કરવાના બદલે પોતાનો ધંધો શરૂ કરવાનો નિર્ણય કર્યો અને એક નવા પ્રકારનો ધંધો શરૂ કર્યો એટલે કે શાકભાજી વેચવાનો. આઇએમએમ અમદાવાદના ટોપર ને બિહારના કૌશલેન્દ્ર તેની બ્રાંડનું ના,અ છે 'સમૃદ્ધિ' એમબીએ શાકભાજીવાળો છે જે એક મોટી કંપનીમાં ફેરવાઇ ગઇ છે. આ કંપનીએ સાથે છ હજારથી વધુ ખેડૂત પરિવારોની જીંદગી જોડાયેલી છે. તેમજ લગભગ 300 લોકો આ કંપનીમાં નોકરી કરે છે. કૌશલેન્દ્ર કુમાર ઉપરાંત આ સંસ્થામાંથી એમબીએ કરનાર નિર્મલ કુમારે પણ કૃષિ ક્ષેત્રમાં કિસ્મત અજમાવવાનો નિર્ણય કર્યો.
કૌશલેન્દ્રએ ગ્રાહકોના સંતોષ અને સમયસર માલ પહોંચડાવાના મુદ્દે પ્રોફેશનલ અભિગમ વેચાણની એક નવી ચેનલ ખોલવાનો નિર્ણય કર્યો. તેમને કહ્યું હતું કે 'અમારું આગામી લક્ષ્ય શાકભાજી ઉગાડનાર ખેડૂતો માટે એક એવું પ્લેટફોર્મ સ્થાપિત કરવાનો છે જેનાથી બજારના બદલતા સ્વરૂપ રિટેલમાં એફડીઆઇ વગેરેનો સામનો કરતાં માપતોલ કરવામાં સક્ષમ બની શકે. કૌશલેન્દ્રએ પટનામાં એક સ્કૂલ પાછળ નાની દુકાન શરૂ કરી શાકભાજી વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. કૌશલેન્દ્ર બિહારમાં તે યુવા અને શિક્ષિત લોકોની સામાજિક વિચારસણી બદલવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
અમદાવાદના નિર્મલ કુમાર ટૂંક સમયમાં શાકભાજી વેચવા માટે ઓનલાઇન વેંચર ખોલવાના છે. આ વેંચર અમદાવાદના લોકોને ઓનલાઇન માધ્યમથી ખેતરમાંથી તાજી શાકભાજી ખરીદવાનો ઓપ્શન આપશે જેનાથી ખેડૂતોઅને ગ્રાહકોને કર્બ ઇન્ફ્લેશન (નિયંત્રણ લગાવી મોંઘવારી)નો સામનો કરવો નહી પડે. નિર્મલ કહે છે કે ખેડૂતોને આજની તારીખે પણ સારા ભાવ મળતા નથી તો ગ્રાહકો શાકભાજીની વ્યાજબી કિંમત કરતાં 300-900 ગુણી વધારે કિંમત ચુકવવી પડે છે. હું આશા રાખુ છું કે મિડલમેનની ભૂમિકા ખતમ થઇ જતાં શાકભાજી અને ફળના ભાવ સસ્તા થઇ શકે છે. સાથે જ દરરોજ ઉપયોગ લેવામાં આવનારી વસ્તુઓની કિંમતમાં ઘટાડો કરી મોંઘવારીને ઓછી કરી શકાશે.
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો










Click it and Unblock the Notifications
