અમેઠી, 7 મે: ચૂંટણીના આઠમા તબક્કામાં જ્યાં રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાનીની કિસ્મત દાવ પર લાગેલ છે ત્યાં બંને વચ્ચે નિવેદનબાજીનું રાજકારણ ગરમ છે. વોટ આપવા માટે પહોંચેલા રાહુલ ગાંધી જ્યાં નરેન્દ્ર મોદીના તીખા બોલનો જવાબ આપવામાં લાગેલા છે તો સ્મૃતિ ઇરાની બચાવમાં આકરા બયાનવાણ છોડી રહ્યાં છે.
અમેઠીની ગલિયોમાં ફરી રહેલા બંને નેતાઓના બોલ ના ફક્ત ચૂંટણી માહોલમાં ગુસ્સા અને વિરોધનો તડકો લગાવી રહ્યાં છે, પરંતુ પોત-પોતાના બચાવમાં એક નવો દૌર પોતાને રંગ આપી રહ્યો છે.
આ નિવેદનબાજીમાં કુદી પડ્યાં છે, રાહુલ ગાંધી, સ્મૃતિ ઇરાની અને કુમાર વિશ્વાસ. નરેન્દ્ર મોદીના 'નીચ જાતિ' નિવેદન પર જ્યારે સંવાદાતાઓએ રાહુલ પાસે જવાબ માંગ્યો તો તે બોલ્યા કે નીચ કર્મ હોય છે, જાતિ નહી, જવાબ આપવામાં સ્મૃતિ ઇરાનીએ મોડું કર્યું નહી. તેમણે કહ્યું કે નીચ કર્મ તે હોય છે જે શહીદોનું અપમાન કરી 'આદર્શ'ની બિલ્ડિંગ બનાવવામાં આવે.
તો બીજી તરફ કુમાર વિશ્વાસે રાહુલ પર સીધો પ્રહાર કર્યો છે. કુમાર વિશ્વાસે કહ્યું કે રાજકારણ તે નથી હોતું કે ભારે ભીદ બોલાવીને તેમની સામે ચૂંટણીના સમયે હાથ હલાવવામાં આવે અને પછી દિલ્હી પરત ફરીને ગોટાળાની રણનિતી તૈયાર કરવામાં આવે.
નિવેદનબાજી દરમિયાન ચૂંટણી માહોલની દિશા-દશા બદલી શકે છે. આઠમા તબક્કાના મતદાનની શરૂઆત પણ નિવેદનોથી થઇ રહી છે અને પરિણામ પણ અત્યાર સુધી નિવેદનોથી જ આવતાં રહ્યાં છે.