For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢ નક્સલી હુમલામાં એમોનિયમ નાઇટ્રેટનો થયો હતો ઉપયોગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

chhattisgarh-naxal-attack
નવી દિલ્હી, 31 મે: અત્યાર સુધીની પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે 25 મેના રોજ છત્તીસગઢના બસ્તર જિલ્લામાં થયેલા નક્સલી હુમલામાં 27 થી 30 કિલોગ્રામ વિસ્ફોટકનો ઉપયોગ થયો હતો. નેશનલ સિક્યુરિટી ગાર્ડસ (NSG) ના ફોરેન્સિક એક્સપર્ટના જણાવ્યા અનુસાર નક્સલીઓએ આ હુમલામાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કર્યો છે.

નક્સલીઓએ આ હુમલામાં કોંગ્રેસના કેટલાક નેતાઓના મોતના ઘાટ ઉતાર્યા હતા. જેમાં મહેન્દ્ર કર્મા અને નંદ કુમાર પટેલ જેવા પાર્ટીના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. નક્સલીઓએ એક નક્કી રણનિતી હેઠળ આ વિસ્ફોટકોનો ઉપયોગ કરી કાફલા પર હુમલો કર્યો હતો.

આ દરમિયાન છત્તીસગઢના દરભામાં કોંગ્રેસ પરિવર્તન યાત્રાના કાફલા પર ખૂની હુમલા બાદ નકસલીઓએ હવે સલમા ઝૂડૂમ સાથે જોડાયેલા 15 લોકોની હત્યા કરવાની ધમકી આપી છે.

સુકમા જિલ્લા કલેક્ટર-કચેરીને મોકલવામાં આવેલા ધમકીભર્યા પત્રમાં નક્સલીઓએ કહ્યું છે કે નક્સલી વિરોધી અભિયાન સલમા ઝૂડૂમ સાથે જોડાયેલા 15 લોકો તેમના હિટ લિસ્ટમાં છે. આ પત્ર સીપીઆઇ માઓવાદીના દરભા ડિવીઝનલ કમિટીએ સુકમા કલેક્ટર-કચેરીને મોકલ્યો છે. આ પત્ર લાલ શાહીથી લખવામાં આવ્યો છે.

English summary
A preliminary forensic investigation of the May 25 Naxal attack in Chhattisgarh's Bastar district has revealed that between 27 to 30 kilograms of explosives were used in the strike.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X