ગડકરી વિવાદ ભાજપનો આંતરિક મામલોઃ ભાગવત
મોહન ભાગવતે કહ્યું કે, આ મામલા સાથે આરએસએસને કોઇ સંબંધ નથી. આરોપો બાદ નિતિન ગડકરી અધ્યક્ષ પદ પર રહેશે કે નહીં તે પણ ભાજપનો આંતરિક મામલો છે. તેવામાં મોટી વાત એ છે શું ભાજપ નિતિન ગડકરી મામલે કોઇ કડક નિર્ણય લેશે. શું નિતિન ગડકરીને ફરીથી અધ્યક્ષ બનાવવામાં આવશે. શું નિતિન ગડકરીની ખુરશી જશે? જોકે ગડકરી પર લગાવાયેલા તમામ આરોપો પછી પણ ભાજપના વરિષ્ઠ નેતા તેમનો બચાવ કરી રહ્યાં છે.
નોંધનીય છે કે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન(આઇએસી)એ ગડકરી પર આરોપ લગાવ્યા છે કે તેમણે મહારાષ્ટ્રમાં વિદર્ભમાં ગેરકાયદે જમીન હડપી છે. ત્યાર બાદ મંગળવારે મીડિયામાં એવો ખુલાસો કર્યો કે આઇઆરબી નામની એક અધોસંરચના કંપનીએ ગડકરીની કંપનીને 165 કરોડ રૂપિયા આપ્યા હતા. ત્યાર પછીને બે વર્ષ પછી આઇઆરબીને ગડકરી તરપથી એક રોડ નિર્માણનું કામ સોંપવામાં આવ્યું હતું. તે સમયે ગડકરી મહારાષ્ટ્રના પીડબલ્યૂડીના મંત્રી હતા.
ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરીના કાળા કામોની ખબર મીડિયામાં આવ્યા પછી સામાન્ય લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે દશેરાના દિવસે અનેક સ્થળો પર ગડકરીના પુતળાઓ સળગાવવામાં આવ્યાં હોવાના અહેવાલ છે.