Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગડકરી વિવાદ ભાજપનો આંતરિક મામલોઃ ભાગવત

MOHANBHAGWAT
નવીદિલ્હી, 24 ઑક્ટોબરઃ આરએસએસ વડા મોહન ભાગવતે કહ્યું કે ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરી અને તેમની સાથે જોડાયેલા વિવાદ તેમના અને પક્ષ વચ્ચેનો આંતરિક મુદ્દો છે, આ મામલે એ લોકોએ જ નિર્ણય લેવો પડશે. બીજી તરફ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી સંસ્થા ઇન્ડિયા એગેન્સ્ટ કરપ્શને યૂપીએ સરકાર સમક્ષ માંગ મૂકી છે કે નિતિન ગડકરી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિરોધક કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવે.

મોહન ભાગવતે કહ્યું કે, આ મામલા સાથે આરએસએસને કોઇ સંબંધ નથી. આરોપો બાદ નિતિન ગડકરી અધ્યક્ષ પદ પર રહેશે કે નહીં તે પણ ભાજપનો આંતરિક મામલો છે. તેવામાં મોટી વાત એ છે શું ભાજપ નિતિન ગડકરી મામલે કોઇ કડક નિર્ણય લેશે. શું નિતિન ગડકરીને ફરીથી અધ્યક્ષ બનાવવામાં આવશે. શું નિતિન ગડકરીની ખુરશી જશે? જોકે ગડકરી પર લગાવાયેલા તમામ આરોપો પછી પણ ભાજપના વરિષ્ઠ નેતા તેમનો બચાવ કરી રહ્યાં છે.

નોંધનીય છે કે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન(આઇએસી)એ ગડકરી પર આરોપ લગાવ્યા છે કે તેમણે મહારાષ્ટ્રમાં વિદર્ભમાં ગેરકાયદે જમીન હડપી છે. ત્યાર બાદ મંગળવારે મીડિયામાં એવો ખુલાસો કર્યો કે આઇઆરબી નામની એક અધોસંરચના કંપનીએ ગડકરીની કંપનીને 165 કરોડ રૂપિયા આપ્યા હતા. ત્યાર પછીને બે વર્ષ પછી આઇઆરબીને ગડકરી તરપથી એક રોડ નિર્માણનું કામ સોંપવામાં આવ્યું હતું. તે સમયે ગડકરી મહારાષ્ટ્રના પીડબલ્યૂડીના મંત્રી હતા.

ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરીના કાળા કામોની ખબર મીડિયામાં આવ્યા પછી સામાન્ય લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે દશેરાના દિવસે અનેક સ્થળો પર ગડકરીના પુતળાઓ સળગાવવામાં આવ્યાં હોવાના અહેવાલ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X