2017 ભીમા કોરેગાંવ હિંસામાં આજે આરોપ ઘડાશે, આજે જ બીમા કોરેગાંવ યુદ્ધના 202 વર્ષ પૂરાં થયાં
2017 ભીમા કોરેગાંવ હિંસામાં આજે આરોપ ઘડાશે, આજે જ બીમા કોરેગાંવ યુદ્ધના 202 વર્ષ પૂરાં થયાં
નવી દિલ્હીઃ વર્ષ 2017માં મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં જે હિંસા થઈ હતી તેમાં આજે આરોપ ઘડવામાં આવશે. પુણે પોલીસે અત્યાર સુધી આ મામલે 23 આરોપીઓ વિરુદ્ધ ચાર્જ લગાવ્યા છે, પરંતુ હવે જઈને આરોપ નક્કી કરવામાં આવશે. મહારાષ્ટ્ર પોલીસે હજી સુધી આ મામલે 23 આરોપીઓ વિરુદ્ધ UPCA અંતર્ગત ચાર્જ લગાવ્યા હતા. આ 23માંથી 8 પોલીસની ધરપકડ થઈ ચૂકી છે અને જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે.
પુણે પોલીસ દ્વારા આ આઠ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી ચૂકી છે. 1 જાન્યુઆરી એટલે કે આજે આરોપ સ્થાપિત કરવામાં આવશે. જણાવી દઈએ કે આ વર્ષે ભીમા કોરેગાંવના મેમોરિયલ પર 202મો વિજય દિવસ પણ મનાવવામાં આવી રહ્યો છે, એવામાં પોલીસ તરફથી સુરક્ષાનો ઈંતેજામ વધારવામાં આવ્યો છે.
1 જાન્યુઆરી 1818ના રોજ ભીમા-કોરેગાંવમાં એવું શું થયું હતું?
સ્ટોરી 202 વર્ષ પહેલા 1818માં થયેલ એક યુદ્ધ સાથે જોડાયેલ છે. મરાઠા સેના આ યુદ્ધ અંગ્રેજો સામે હારી ગઈ હતી. દાવો કરવામાં આવે છે કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને મહાર રેજીમેન્ટના સૈનિકોની બહાદુરીના કારણે આ જીત હાંસલ થઈ હતી. એવામાં આ જગ્યા પેશવાઓ અને મહારોં એટલે કે અનુસૂચિત જાતિઓની જીતના એક સ્મારક તરીકે સ્થાપિત થઈ ગઈ. પાછલા વર્ષે એક જાન્યુઆરીએ પુણેથી 40 કિમી દૂર ભીમા-કોરેગાંવમાં અનુસૂચિત જાતિ સમુદાયના લોકોનો એક કાર્યક્રમ આયોજિત થયો હતો, જેના કેટલાક દક્ષિણપંથી સંગઠનોએ વિરોધ કર્યો. જે બાદ હિંસા ભડકી ગઈ હતી.
વિજય માલ્યાની સંપત્તિ વેચાશે, પીએમએલએ કોર્ટે મંજૂરી આપી