3 લોકસભા અને 30 વિધાનસભા બેઠકો પર 30 ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાશે!
ખાલી પડેલી લોકસભાની ત્રણ બેઠકો અને વિધાનસભાની 30 બેઠકોની પેટાચૂંટણી માટે તારીખ જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે મંગળવારે જાહેરનામું બહાર પાડ્યું છે અને કહ્યું છે કે આ તમામ બેઠકો પર 30 ઓક્ટોબરે મતદાન થશે.
ખાલી પડેલી લોકસભાની ત્રણ બેઠકો અને વિધાનસભાની 30 બેઠકોની પેટાચૂંટણી માટે તારીખ જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે મંગળવારે જાહેરનામું બહાર પાડ્યું છે અને કહ્યું છે કે આ તમામ બેઠકો પર 30 ઓક્ટોબરે મતદાન થશે. જે ત્રણ લોકસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે તેમાં દાદરા નગર હવેલી, મધ્યપ્રદેશના ખંડવા અને હિમાચલ પ્રદેશની મંડી સીટનો સમાવેશ થાય છે.
આ સિવાય આંધ્રપ્રદેશમાં એક, આસામમાં 5, બિહારમાં બે, હરિયાણામાં એક, હિમાચલ પ્રદેશમાં 3, કર્ણાટકમાં બે, મધ્યપ્રદેશમાં 3, મહારાષ્ટ્રમાં 3, મેઘાલયમાં 3, નાગાલેન્ડમાં એક, રાજસ્થાનમાં બે, તેલંગાણા 1 અને પશ્ચિમ બંગાળની 4 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે.
જણાવી દઈએ કે દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરની લાશ આ વર્ષે ફેબ્રુઆરીમાં હોટલમાં લટકતી મળી હતી. આ બેઠક તેના મૃત્યુ બાદથી ખાલી છે. આ સિવાય મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ નંદકુમાર સિંહ ચૌહાણનું પણ આ વર્ષે માર્ચમાં અવસાન થયું હતું. તે કોરોનાથી પીડિત હતા. આ ઉપરાંત હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માનો મૃતદેહ પણ તેમના દિલ્હીના ફ્લેટમાં લટકતો મળ્યો હતો.
હરિયાણાની એલેનાબાદ બેઠક માટે પણ પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. INLD નેતા અભય ચૌટાલા આ બેઠક પરથી ધારાસભ્ય હતા પરંતુ તેમણે ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આ વર્ષે વિધાનસભામાંથી રાજીનામું આપ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનથી ભાજપને મોટું નુકસાન થઈ શકે છે. આ સ્થિતિમાં હરિયાણાની આ બેઠક ભાજપ માટે કસોટી સાબિત થઈ શકે છે.