3 લોકસભા અને 30 વિધાનસભા બેઠકો પર 30 ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાશે!
ખાલી પડેલી લોકસભાની ત્રણ બેઠકો અને વિધાનસભાની 30 બેઠકોની પેટાચૂંટણી માટે તારીખ જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે મંગળવારે જાહેરનામું બહાર પાડ્યું છે અને કહ્યું છે કે આ તમામ બેઠકો પર 30 ઓક્ટોબરે મતદાન થશે.
ખાલી પડેલી લોકસભાની ત્રણ બેઠકો અને વિધાનસભાની 30 બેઠકોની પેટાચૂંટણી માટે તારીખ જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે મંગળવારે જાહેરનામું બહાર પાડ્યું છે અને કહ્યું છે કે આ તમામ બેઠકો પર 30 ઓક્ટોબરે મતદાન થશે. જે ત્રણ લોકસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે તેમાં દાદરા નગર હવેલી, મધ્યપ્રદેશના ખંડવા અને હિમાચલ પ્રદેશની મંડી સીટનો સમાવેશ થાય છે.

આ સિવાય આંધ્રપ્રદેશમાં એક, આસામમાં 5, બિહારમાં બે, હરિયાણામાં એક, હિમાચલ પ્રદેશમાં 3, કર્ણાટકમાં બે, મધ્યપ્રદેશમાં 3, મહારાષ્ટ્રમાં 3, મેઘાલયમાં 3, નાગાલેન્ડમાં એક, રાજસ્થાનમાં બે, તેલંગાણા 1 અને પશ્ચિમ બંગાળની 4 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે.
જણાવી દઈએ કે દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરની લાશ આ વર્ષે ફેબ્રુઆરીમાં હોટલમાં લટકતી મળી હતી. આ બેઠક તેના મૃત્યુ બાદથી ખાલી છે. આ સિવાય મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ નંદકુમાર સિંહ ચૌહાણનું પણ આ વર્ષે માર્ચમાં અવસાન થયું હતું. તે કોરોનાથી પીડિત હતા. આ ઉપરાંત હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માનો મૃતદેહ પણ તેમના દિલ્હીના ફ્લેટમાં લટકતો મળ્યો હતો.
હરિયાણાની એલેનાબાદ બેઠક માટે પણ પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. INLD નેતા અભય ચૌટાલા આ બેઠક પરથી ધારાસભ્ય હતા પરંતુ તેમણે ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આ વર્ષે વિધાનસભામાંથી રાજીનામું આપ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનથી ભાજપને મોટું નુકસાન થઈ શકે છે. આ સ્થિતિમાં હરિયાણાની આ બેઠક ભાજપ માટે કસોટી સાબિત થઈ શકે છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
