For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કાવેરી નદીના પ્રવાહને રોકવામાં નહી આવે તો ટેક્સ ભરીશું નહી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

farmers
માંડ્યા(કર્ણાટક), 4 ઑક્ટોબર: તમિળનાડુમાં કાવેરીનું પાણી છોડવાનો વિરોધ કરનાર એક ખેડૂત સંગઠને કર્ણાટક સરકારના આ નિર્ણયનો વિરોધ કરતાં ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે અને ચેતાવણી આપી છે કે સરકાર સાંજ સુધી નદીના પ્રવાહને રોકવાની માંગણીને સ્વિકારશે નહી તો તે ટેક્સ ભરવાનું બંધ દેશે.

કાવેરી હિતરક્ષણ સમિતિના અધ્યક્ષ જી માદેગૌડાએ કહ્યું હતું કે અમે સરકારને એક સમયમર્યાદા જણાવી દિધી છે. જો ગુરૂવાર સાંજ સુધી પાણીના પ્રવાહને રોકવામાં નહી આવે તો લોકો ટેક્સની ચૂકવણી નહી કરીને સવિનય આંદોલન શરૂ કરશે. કર્ણાટક સરકાર હાઇકોર્ટના નિર્દેશોનુસાર રવિવારે 9,000 ક્યૂસેક પાણી છોડવાની છે.

પૂર્વ સાંસદ ગૌડાએ કહ્યું હતું કે તેમને પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાની વિનંતી પર અનિશ્ચિત અનશન નહી કરવાનો નિર્ણય કર્યો હતો. રૈયત સંઘ( કિસાન સંગઠન)ના નેતાઓએ કહ્યું હતું કે ગુરૂવારે બેંગ્લોરમાં રાજભવનનો ઘેરાવો કરશે અને રાજ્યપાલ એચ આર ભારદ્વાજ પાસે જળ મુદ્દે હસ્તક્ષેપ કરવા અને રાજ્યના હિતોની સુરક્ષા માટે માંગણી કરશે.

English summary
A farmers' body spearheading the stir against release of Cauvery water to Tamil Nadu began a relay hunger strike here in protest against Karnataka's action and warned that people would stop paying taxes if the government did not heed their demand to stop the flow by this evening.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X