અમિત શાહની સિક્યુરિટી પાછળ કેટલો ખર્ચ? CICએ જણાવવાનો કર્યો ઈનકાર
માહિતી અધિકારનો ઉપયોગ કરી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સિક્યોરિટી પાછળ કેટલો ખર્ચ થાય છે તે અંગે માહિતી માંગવામાં આવી હતી.
નવી દિલ્હીઃ માહિતી અધિકારનો ઉપયોગ કરી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સિક્યુરિટી પાછળ કેટલો ખર્ચ થાય છે તે અંગે માહિતી માંગવામાં આવી હતી. જો કે સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન (CIC)એ ખાનગી માહિતી હોવાનું અને સુરક્ષાનું કારણ જણાવી માહિતી આપવાનો ઈનકાર કરી દીધો છે. કયા નિયમ અંતર્ગત વ્યક્તિગત સુરક્ષા આપવામાં આવી રહી છે અને તેમનો ખર્ચો કોણ ઉઠાવે છે તે અંગે પણ માહિતી માંગવામાં આવી હતી. જો કે કમિશને આ માહિતી આપવાનો ઈનકાર કરી દીધો હતો. આ પણ વાંચો- PIC: દુશ્મનને કંફ્યૂઝ કરી દે છે નરેન્દ્ર મોદીના સુરક્ષા ગાર્ડ

દિપક જુનેજાએ માંગી માહિતી
દિપક જુનેજા દ્વારા 5 જુલાઈ 2014ના રોજ આ અરજી કરવામાં આવી હતી, તે સમયે અમિત શાહ રાજ્યસભાના સભ્ય ન હતા. ઉપરાંત સરકારે કોને-કોને સુરક્ષા આપી છે તે અંગે પણ દિપકે માહિતી માંગી છે. ગૃહ મંત્રાલયે અરજી ફગાવતા કહ્યું કે માહિતી જાહેર થવાથી વ્યક્તિનો જીવ જોખમાય શકે છે તેથી કલમ 8(1)(જી) અંતર્ગત માહિતી આપવાનો ઈનકાર કરી દીધો. વધુમાં આરટીઆઈ એક્ટના સેક્શન 8(1)(જે)નો પણ ઉલ્લેખ કર્યો જે અંતર્ગત ખાનગી માહિતી માંગી હોય તો અરજી ફગાવી શકે છે. અગાઉ સીઆઈસીએ માહિતી આપવા બાબતે સમર્થન ન આપ્યું અને તેને સંસદમાં પણ જાહેર કરવામાં નહોતી આવી.

માહિતી આપવાનો કર્યો ઈનકાર
દિપક જૂનેજાએ સીઆઈસીના ઓર્ડરને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો જ્યાં વિભુ બખરુની ટ્રાન્સપરન્સી પેનલને તે પરીક્ષણ કરવાની જરૂર પડી કે અરજદારે માંગેલી માહિતી માહિતી ખાતાની કલમ 8 (1)ની (જી) અને (જે)અંતર્ગત માહિતી આપવાથી મુક્તિ આપવામાં આવે છે કે નહીં.

આયોગે બંને પક્ષને સાંભળ્યા
આયોગે બાદમાં જુનેજા અને ગૃહ મંત્રાલયના પક્ષને સાંભળ્યા. સૂચના આયુક્ત યશોવર્ધન આઝાદે પોતાના આદેશમાં કહ્યું કે જુનેજાએ દલીલ કરી હતી કે જે-તે વ્યક્તિ ખતરાની આશંકાને પગલે જરૂરી કામકાજ નથી કરી સકતા તેવા પ્રતિષ્ઠિત વ્યક્તિને સુરક્ષા પ્રદાન કરવાની જવાબદારી સરકારની છે.

માહિતી જાણવાનો અધિકાર છે
જો કે અરજદારે કહ્યું કે અંગત લોકો પાછળની ઝેડ પ્લસ સિક્યોરિટીનો ખર્ચો સરકારી તિજોરીમાંથી ન કરવો જોઈએ. જુનેજાએ કહ્યું કે, "ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને જુલાઈ 2014થી ગૃહ મંત્રાલયે ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા આપી હતી ત્યારે તેઓ કોઈ સંવૈધાનિક કે વૈધાનિક પદ પર પણ નહોતા." એમણે કહ્યું કે આ જનતાના પૈસા છે તેથી તેમને આ અંગે જાણવાનો અધિકાર છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
