નાગરિકતા સંશોધન બિલ પર આ 8 ભ્રામક વાતો, સરકારે આપ્યો જવાબ
નાગરિકતા સંશોધન બિલ પર આ 8 ભ્રામક વાતો, સરકારે આપ્યો જવાબ
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલને લોકસબાથી મંજૂરી મળ્યા બાદ આજે રાજ્યસભામાં રજૂ કરવામા આવશે. ગૃહમંત્રી અમિત શાહ આ બિલને રાજ્યસભામાં રજૂ કરશે જેનાપર બપોર બાદ સદનમાં ચર્ચા થશે. ભાજપે પોતાના સાંસદોને આજે રાજ્યસભામાં ઉપસ્થિત રહેવા માટે વ્હિપ જાહેર કર્યો છે. જ્યારે આ બિલનો પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં પણ ભારે વિરોધ થઈ રહ્યો છે. આસામ અને ત્રિપુરામાં આ બિલનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યારે વિપક્ષ સરકાર પર આ બિલ દ્વારા મુસ્લિમો સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલ અલ્પસંખ્યક શર્ણાર્થિઓને નાગરિકતા આપવાનું પ્રાવધાન છે. આ બિલને લઈ 8 ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી છે, જેનો સરકાર એક એક કરી જવાબ આપી રહી છે.

માન્યતા- 1. નાગરિકતા સંશોધન બિલ બંગાળી હિન્દુઓને નાગરિકતા પ્રદાન કરશે
વાસ્તવિકતા- નાગરિકતા સંશોધન બિલ બંગાળી હિન્દુઓને ભારતીય નાગરિકતા પ્રદાન નથી કરતો. આ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના છ અલ્પસંખ્યક સમુદાયોના લોકો માટે બનાવવામાં આવી રહેલ કાનૂન છે. જેને માનવીય આધાર પર પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે કેમ કે અલ્પસંખ્યક સમુદાયના આ લોકો ધાર્મિક ઉત્પીડનને કારણે આ ત્રણ દેશમાથી ભાગવા માટે મજબૂર થયા હતા.
માન્યતા-2. નાગરિકતા સંશોધન બિલ આસામ સમજૂતીને કમજોર કરે છે
વાસ્તવિકતા- જ્યાં સુધી કટ ઑફ ડેટાનો સવાલ છે, આ નાગરિકતા સંશોધન બિલ આસામ સમજૂતીને કમજોર નથી કરતું.
માન્યતા- 3. નાગરિકતા સંશોધન બિલ આસામના મૂળ નિવાસીઓના હિતની વિરુદ્ધ છે
વાસ્તવિકતા- નાગરિકતા સંશોદન બિલ માત્ર આસામ પર કેન્દ્રિત નથી. આ આખા દેશ માટે માન્ય છે. નાગરિકતા સંશોધન બિલ નિશ્ચિત રૂતે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરની વિરુદ્ધ નથી.
માન્યતા- 4. નાગરિકતા સંશોધન બિલથી બંગાળી ભાષી લોકોનું વર્ચસ્વ વધશે
વાસ્તવિકતા- મોટાભાગના હિન્દુ બંગાળી વસ્તી આસામના બરાકી ઘાટીમાં વસે છે, જ્યાં બંગાળીને બીજી રાજ્ય ભાષા ઘોષિત કરવામા આવી છે. બ્રહ્મપુત્ર ઘાટીમાં હિન્દુ બંગાળી અલગ-અલગ વસ્યા છે અને તેમણે આસામી ભાષાને અપનાવી લીધી છે.
માન્યતા-5. બંગાળી હિન્દુ આસામ માટે ભાર સમાન બની જશે
વાસ્તવિકતા- નાગરિકતા સંશોધન બિલ આખા દેશમાં લાગૂ છે. ધાર્મિક ઉત્પીડનનો સામનો કરનાર વ્યક્તિ માત્ર આસામમા જ નથી વસ્યા. તેઓ દેશના અન્ય ભાગોમાં પણ વસેલા છે.
માન્યતા-6. નાગરિકતા સંશોધન બિલ બાંગ્લાદેશથી હિન્દુઓના નવા પ્રવાસનને વધારવાનું કામ કરશે
વાસ્તવિકતા- મોટાભાગના અલ્પસંખ્યક પહેલાં જ બાંગ્લાદેશથી પલાયન કરી ચૂક્યા છે. આ ઉપરાંત હાલના વર્ષોમાં બાંગ્લાદેશમાં તેમના પર અત્યાચારના મામલામાં ઘટાડો થયો છે. જ્યાં સુધી શરણાર્થિઓને નાગરિકતા આપવાનો સવાલ છે તો 31 ડિસેમ્બર 2014ની કટ ઑફ તારીખ છે અને નાગરિકતા સંશોધન બિલ અંતર્ગત કટ ઑફ તારીખ બાદ ભારતમાં આવ્યા છે તેવા અલ્પસંખ્યક શરણાર્થિઓને તેનો લાભ નહિ મળી શકે.
માન્યતા- 7. આ બિલ હિન્દુ બંગાળીઓને સમાયોજિત કરી આદિવાસી ભૂમિ હડકવા માટેનો હથકંડો છે
વાસ્તવિકતા- મોટાભાગની હિન્દુ બંગાળી વસ્તી આસામના બરાકી ઘાટીમાં વસી રહી છે જે આદિવાસી વિસ્તારથી ઘણી દૂર છે. બીજી મહત્વની વાત એ છે કે આ બિલ આદિવાસી ભૂમિ સંરક્ષણ માટે કાનૂનો અને નિયમોમાં વિરોધાભાસ પેદા નથી કરતું. નાગરિકતા સંશોધન બિલ તેવા ક્ષેત્રોમાં લાગૂ નથી થતું જ્યાં આઈએલપી અને સંવિધાનની છઠી અનુસૂચીના પ્રાવધાન લાગૂ થાય છે.
માન્યતા-8. નાગરિકતા સંશોધન બિલ મુસલમાનો સાથે ભેદભાવ કરે છે
વાસ્તવિકતા- કોઈપણ દેશના કોઈપણ વિદેશી નાગરિક ભારતીય નાગરિકતા માટે નાગરિકતા અધિનિયમ 1955ના હાલના પ્રાવધાન મુજબ યોગ્ય હશે તો અરજી કરી શકે છે. નાગરિકતા સંશોધન બિલ આ પ્રાવધાનોમાં કોઈપણ પ્રકારની છેડછાડ નથી કરતું. આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલ 9 અલ્પસંખ્યક સમુદાયના શરણાર્થિઓને નાગરિકતા આપવાનું પ્રાવધાન છે.
-
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર












Click it and Unblock the Notifications
