Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cyclone Amphan: કોરોના વચ્ચે ઓરિસ્સામાં ચક્રવાતી તોફાનનો ખતરો, એલર્ટ જારી

કોરોના વાયરસ મહામારી વચ્ચે ઓરિસ્સા તરફ વધુ એક ખતરો આવી રહ્યો છે.

કોરોના વાયરસ મહામારી વચ્ચે ઓરિસ્સા તરફ વધુ એક ખતરો આવી રહ્યો છે. ચક્રવાતી તોફાન Amphan અહીંના 12 જિલ્લાઓમાં કહેર વર્તાવી શકે છે. આ અંગે હવામાન વિભાગે એલર્ટ જારી કરી છે. ઓરિસ્સાના તટીય જિલ્લાઓમાં પ્રશાસને સંભવિત તોફાનથી બચવા માટે તૈયારીઓ કરવાના નિર્દેશ આપ્યા છે. આમાં લોકો માટે આશ્રય ગૃહોનુ નિર્માણ કરવાનુ પણ શામેલ છે. માહિતી મુજબ (Cyclone Amphan in Odisha) તોફાનના સંભવિત ખતરાને જોતા શુક્રવારે 12 તટીય જિલ્લાઓમાં ચેતવણી જારી કરવામાં આવી છે.

બંગાળની ખાડી ઉપર ઓછા દબાણનુ ક્ષેત્ર

બંગાળની ખાડી ઉપર ઓછા દબાણનુ ક્ષેત્ર

આ ઉપરાંત કલેક્ટરોથી લોકો માટે વૈકલ્પિક આશ્રય ગૃહોની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યુ છે. એક ઉચ્ચ સરકારી અધિકારીએ આ માહિતી આપી છે. બંગાળની ખાડી પર ઓછા દબાણનુ એક ક્ષેત્ર બની રહ્યુ છે જેના તોફા અમ્ફાનનુ રૂપ લેવાની પ્રબળ સંભાવના છે. આ બાબતે ઓરિસ્સામાં રાહત કમિશ્નર પી જે જેનાએ જણાવ્યુ કે તેમણે મુખ્ય સચિવ અસિત ત્રિપાઠી સાથે તોફાનની સ્થિતિ અને રાજ્ય પર પડનાર તેના પ્રભાવની સમીક્ષા કરી છે.

તોફાન આ જગ્યાએ ટકરાઈ શકે છે

તોફાન આ જગ્યાએ ટકરાઈ શકે છે

ભારતીય હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ સંભવિત ઓછા દબાણનુ ક્ષેત્ર ઉત્તર-ઉત્તર પૂર્વ દિશામાં ફરતા પોતાના પછ પર પાછુ આવશે અને બંગાળની ખાડી તરફ વળશે. જેનાએ જણાવ્યુ કે ઓછા દબાણના ક્ષેત્રની ગતિ હજુ જાણી શકાઈ નથી અને સંભવિત તોફાન તટ પર ક્યાં ટકરાશે, તેની માહિતી પણ હવામાન વિભાગ તરફથી જ આપવામાં આવશે. તેમણે જણાવ્યુ કે તોફાન ઉત્તર ઓરિસ્સા, દક્ષિણી બંગાળ કે બાંગ્લાદેશથી પણ ટકરાઈ શકે છે. તેમણે કહ્યુ કે માછીમારોને શુક્રવારે સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

ઘણા જિલ્લાઓ પર પડી શકે છે પ્રભાવ

ઘણા જિલ્લાઓ પર પડી શકે છે પ્રભાવ

જો કે આ અંગે હવામાન વિભાગે અત્યારે કોઈ ચોક્કસ માહિતી આપી નથી પરતુ વિભાગે એ સ્પષ્ટ કરી દીધુ છે કે ઓછા દબાણનુ ક્ષેત્ર શુક્રવારે વધી જશે અને બાદમાં તે તોફાનનુ સ્વરૂપ લઈ લેશે. ભારતીય હવામાન વિભાગના મૃત્યંજય મહાપાત્રાએ કહ્યુ, હજુ અમે ચોક્કસપણે અનુમાન નથી લગાવી શકતા કારણકે ચક્રવાત હજુ બન્યુ નથી. જો કે ઓરિસ્સાના ઉત્તરી અને પશ્ચિમ બંગાળના દક્ષિણી ભાગોમાં સ્થિત જિલ્લાઓમાં આનો પ્રભાવ પડી શકે છે. આના પરિણામ સ્વરૂપ તટીય ક્ષેત્રોમાં 19 મેથી ભારે વરસાદનુ અનુમાન છે.

એનડીઆરએફ સહિત ઘણા બળોની તૈનાતી થઈ શકે છે

એનડીઆરએફ સહિત ઘણા બળોની તૈનાતી થઈ શકે છે

વળી, જેનાએ જણાવ્યુ કે સ્થિતિને જોતા ઓરિસ્સા સરકારે 12 તટીય જિલ્લાઓમાં ચેતવણી જારી કરી દીધી છે. આ જિલ્લાઓમાં ભગતસિંહપુર, કેન્દ્રપાડા, ભદ્રક અને બાલાસોર મુખ્ય છે. તેમણે કહ્યુ કે જરૂરત પડવા પર એનડીઆરએફ અને ફાયરબ્રિગેડ સેવા સહિત અન્ય બળોની તૈનાતી પણ કરવામાં આવી શકે છે. વિશેષ રાહત કમિશ્નરે કહ્યુ કે ઓરિસ્સા પહેલા પણ આવી સ્થિતિનો સામનો કરી ચૂક્યુ છે માટે સ્થિતિનુ મેનેજમેન્ટ યોગ્ય રીતે કરવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X