Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નક્સલવાદીઓનો નવો ટાર્ગેટ દિલ્હી હોઇ શકે : IB રિપોર્ટ

naxalite-attack
નવી દિલ્હી, 30 મે : ગુપ્તચર સંસ્થાઓના રિપોર્ટ અનુસાર નક્સલવાદી સંગઠનો પોતાના હુમલા માટે હવે નવું નિશાન દિલ્હી જેવા મોટા શહેરને બનાવી શકે છે. કારણ કે તેઓ મોટા પાયે હિંસા કરવા માંગી રહ્યા છે. ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા આપવામાં આવેલા અહેવાલો અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોનું ધ્યાન ખેંચવા માટે અને પોતાની કેડર્સનો ઉત્સાહ વધારવા માટે તથા મહત્તમ ફાયદો મેળવવા માટે નક્સલવાદીઓ માટે પાયે હિંસા ફેલાવવાનો પ્રયત્ન કરશે. આ માટે શહેરી વિસ્તારોને સરળતાથી નિશાન બનાવી શકાય એમ છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરના સમયમાં માઓવાદીઓએ મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. જગદલપુરમાં 25 મેના રોજ કરવામાં આવેલો હુમલો તેમની રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવવાના પ્રયાસનું પરિણામ હતું. આ સાથે તેઓ પોતાની હાજરી હોય તેવા વિસ્તારોના સ્થાનિક લોકો ઉપર પણ પ્રભાવ પાડવા માંગે છે. આઇબીએ નક્સલવાદીઓના અગ્રણી નેતાઓ વચ્ચે ચાલી રહેલી વાતચીતને સાંભળીને આ અંદાજ લગાવ્યો છે.

સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે માઓવાદીઓ સામેની કાર્યવાહી લાંબા સમય સુધી ચાલશે. આ માટે અર્ધલશ્કરી દળો મોટી સંખ્યામાં જોઇશે. તેમાં ઓછામાં ઓછા 27,000 જવાનોની જરૂર પડશે. બસ્તર (છત્તીસગઢ), મલ્કાનગિરિ, કોરાપુટ (ઓરિસ્સા) અને લાતેહાર (ઝારખંડ)માંથી નક્સલવાદીઓના પ્રભાવ ઓછો કરતા ઓછામાં ઓછા ત્રણ વર્ષનો સમય લાગશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X