Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિલ્હી રેપ કેસઃ તણાવ વધ્યો, મંગોલપુરી છાવણીમાં ફેરવાયું

નવી દિલ્હી, 2 માર્ચઃ દેશની રાજધાની દિલ્હીના એક વિસ્તાર મંગોલપુરીમાં એક સગીરા પર બળાત્કાર થવાના મામલાને લઇને લોકોમાં તણાવ વધી રહ્યો છે. સ્થિતિને નિયંત્રિત કરવા માટે આ વિસ્તાર છાવણીમાં ફેરવાયું છે. આ પહેલા આજે સવારે મોટી સંખ્યામાં લોકો પોલીસ ચોકી પાસે જમા થઇ ગયા હતા અને હંગામો કરવા લાગ્યા હતા. ટોળાએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો જેમાં ત્રણ પોલીસકર્મીઓને ઇજા પહોંચી છે. મંગોલપુરી મથકના એસએચઓ અશોક કુમાર શર્માના પગમાં ગંભીર ઇજા પહોંચી છે. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા માટે 17 લોકોને અટકાયતમાં લીધા છે.

public-attacked
લોકોમાં આક્રોશ છે કે પોલીસે આ ઘટનની એફઆઇઆર દાખલ કરવામાં મોડું કર્યું છે. જો કે, પોલીસે નોર્થ એમસીડી સ્કૂલમાં સ્ટોકના ત્રણ લોકોને પણ અટકાયતમાં લઇ લીધા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ પીડિતાની સ્થિતિ પહેલા કરતા સારી છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, પરંતુ લોકોનું કહેવું છે કે જ્યાં સુધી આરોપીએની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્રદર્શન ચાલું રહેશે.

નોંધનીય છે કે 17 ડિસેમ્બરે દિલ્હીમાં થયેલા એક ગેંગ રેપ બાદ લોકોએ દેશભરમાં પ્રદર્શન કર્યું હતું, તેમ છતાં સરકારે આ મામલે અત્યારસુધી કોઇ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી નથી. લોકોની માંગ હતી કે મહિલાઓ વિરુદ્ધ થનારા અપરાધોને રોકવા માટે કડક કાયદો બનાવવામાં આવે, જેનાથી આ ઘટનાઓને રોકી શકાય. તેવામાં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, શું દિલ્હીમાં આ હિંસક પ્રદર્શન અટકશે, આ મામલાને લઇને પ્રશાસન પણ ચિંતિત છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X