Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગડકરીના નિવેદન પર દિગ્વિજય સિંહે કટાક્ષ કર્યો

gadkari-digvijay
નવીદિલ્હી, 5 નવેમ્બરઃ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે સોમવારે ભાજપ પર તેના અધ્યક્ષ નિતિન ગડકરીના નિવેદનને લઇને કટાક્ષ કર્યો છે, ગડકરીએ નિવેદન કર્યું હતું કે સ્વામી વિવેકાનંદ અને દાઉદ ઇબ્રાહિમના આઇક્યૂને જોવામાં આવે તો બન્નેના આઇક્યુ એક સરખા છે.

દિગ્વિજય સિંહે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટ પર લખ્યું છે, ' ગડકરીએ ભોપાલમાં એક કાર્યક્રમમાં કહ્યું છે કે સ્વામી વિવેકાનંદ અને દાઉદ ઇબ્રાહિમના આઇક્યુ એક સમાન હતા. મોદી અને તેમના પ્રશંસક શું કોઇ ટિપ્પણી કરવા માગશે?'

ભોપાલમાં એક પુરસ્કાર વિતરણ સમારોહને સંબોધિત કરતીવેળા ગડકરીએ મનોવિજ્ઞાનના આધારે બુદ્ધી માપવા માટે આઇક્યુનો હવાલો આપતા કહ્યું, ' જો દાઉદ અને વિવેકાનંદનો આઇક્યુ જોવામાં આવે તો, એક સરખા છે, પરંતુ એકે તેનો ઉપયોગ ગુન્હા કરવા માટે કર્યો અને બીજાએ સમાજ, દેશભક્તિ અન આદ્યાત્મની સર્વશ્રેષ્ઠતા માટે કર્યો.'

સિંહે કહ્યું, ' લોકો મારી વિશ્વસનીયતા પર કેમ પ્રશ્નો ઉઠાવે છે. મેં જે કંઇપણ કહ્યું તે સાબિત થઇ ગયું છે.' તેમણે પોતાની ટ્વિટમાં કહ્યું છે, 'ગડકરી ખોટી કંપની બનાવવામાં સામેલ રહ્યાં છે- સાચું(ગડકરી એક વેપારી છે) સાચું.' સિંહે સોમવારે અનેક ટ્વિટ કરી છે જેના થકી તેમણે એ વાતને સમર્થન આપવા પ્રયાસ કર્યો છે કે, તેમણે જે મુદ્દા ઉપાડ્યા તેમા તે હંમેશા સાચા સાબિત થયા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X