BJP ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ઇકો ફ્રેન્ડલી જૂટથી બનેલી નેમ પ્લેટનો થયો ઉપયોગ
ભાજપના રાષ્ટીય કાર્યકારિણીની બેઠકમાં દેશભરના પદાધિકારીઓ મુખ્યમંત્રીઓ પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ ઉપસ્તિ રહ્યા છે. તો તેમના માટે ઇકોફ્રેન્ડલી વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારતીય જનતા પર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ચાલી રહી છે., જે મંગળવારે 17 જાનયુઆરી સુધી ચાલશે. આ બેઠકમાં ભાગ લેવા માટે રાજ્યોમાથી ભાજપના વરિષ્ઠ નતા દિલ્હી પહોચ્યા છે. બેઠક શરૂ થતા પહેલા બીજેપી ચીફ જેપી નડ્ડાએ ભાજપ પધાધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમા તેમની સાથે ઘણા મહત્વના મદ્દાને લઇને વાતચીત થઇ હતી.

મીડિયા સાથે વાત કરતા ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યુ હતુ કે, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની અધ્યક્ષતમાં પદાધિકારીઓની બેઠક થઇ હતી. જ્યાં ઘણા મુદ્દા પર ચર્ચા થઇ હતી. આ ઇકો ફ્રેન્ડલી મીટિંગ હતી. જેમા નેમપ્લેટ જીટના બનેલા હતા. તેમજ નેતાઓને બાજરાની રોટલો પીરસવામાં આવ્યો હતો.
વિધાનસભાની ચૂંટમી પર મથન
ભાજપ રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકમાં પીએમ મોદી, ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મત્રી રાજનાથ સિંહ, યોગી આદિત્યાનાથ, શિવરાજ સિહ ચૌહાણ સહિત ઘણા વરિષ્ઠ નેતા તેમા સામેલ હતા. આવનાર મયમાં 9 મહત્વના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થશે. એવામાં ભાજપ તેને લઇને બેઠકમાં રણનીતિ બનાવશે. તો 2024 લોકસભા ચૂંટણી પમ એક વર્ષનો સમય રહ્યા છે. તો પાર્ટી તેના પર પણ વિસ્તારથી ચર્ચા કરશે
શુ જે.પી નડ્ડાનો કાર્યકાળ વધશે
ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાનો કાર્યકાળ પુરો થનાર છે. પરંતુ 2024 ચૂંટણીને જોતા ભાજપ કોઇ નવા ચહેરા પર દાવ નથી લગવવા માંગતો . સૂત્રો અનુસાર વરિષ્ઠ નેતા જે.પી નડ્ડાનો કાર્યકાળને વધારવામા આવી શકે છે.












Click it and Unblock the Notifications
