Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લોકસભામાં નાણા બીલ ચર્ચા વગર પસાર

p chidambaram
નવી દિલ્હી, 30 એપ્રિલ: લોકસભામાં મંગળવારે સામાન્ય સંશોધનોની સાથે નાણા બીલ 2013-14 પસાર કરી દેવામાં આવ્યું. આ દરમિયાન કોલગેટ સ્કેમનો વિરોધ કરી રહેલા મુખ્ય વિપક્ષી દળ ભારતીય જનતા પાર્ટીએ વોકઆઉટ કરી લીધું હતું. વિધેયકમાં 12 સામાન્ય સંશોધન કરવામાં આવ્યા.

સૌથી મહત્વપૂર્ણ સંશોધન કૃષિ ભૂમિ પર સંપત્તિ કર સાથે સંબંધિત છે. સંશોધન વિધેયક અનુસાર, કૃષિ ભૂમિ પર કોઇ સંપત્તિ કર નહીં લાગે. નાણા મંત્રી પી. ચિદમ્બરમે બજેટ ભાષણમાં સ્પષ્ટ કરતા જણાવ્યું કે યુપીએ સરકારની કૃષિ ભૂમિ પર સંપત્તિ કર લગાવવાની નીતિ નતી. વિધેયક ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું.

નાણા બીલ પસાર થવાની સાથે જ 28 ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રી પી. ચિદમ્બરમના બજેટ ભાષણની સાથે શરૂ થયેલી બજેટ પ્રક્રિયા પૂરી થઇ ગઇ. વિધેયક હવે રાજ્યસભામાં મોકલવામાં આવશે જ્યાંથી પસાર કરીને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X