For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભામાં નાણા બીલ ચર્ચા વગર પસાર

|
Google Oneindia Gujarati News

p chidambaram
નવી દિલ્હી, 30 એપ્રિલ: લોકસભામાં મંગળવારે સામાન્ય સંશોધનોની સાથે નાણા બીલ 2013-14 પસાર કરી દેવામાં આવ્યું. આ દરમિયાન કોલગેટ સ્કેમનો વિરોધ કરી રહેલા મુખ્ય વિપક્ષી દળ ભારતીય જનતા પાર્ટીએ વોકઆઉટ કરી લીધું હતું. વિધેયકમાં 12 સામાન્ય સંશોધન કરવામાં આવ્યા.

સૌથી મહત્વપૂર્ણ સંશોધન કૃષિ ભૂમિ પર સંપત્તિ કર સાથે સંબંધિત છે. સંશોધન વિધેયક અનુસાર, કૃષિ ભૂમિ પર કોઇ સંપત્તિ કર નહીં લાગે. નાણા મંત્રી પી. ચિદમ્બરમે બજેટ ભાષણમાં સ્પષ્ટ કરતા જણાવ્યું કે યુપીએ સરકારની કૃષિ ભૂમિ પર સંપત્તિ કર લગાવવાની નીતિ નતી. વિધેયક ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું.

નાણા બીલ પસાર થવાની સાથે જ 28 ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રી પી. ચિદમ્બરમના બજેટ ભાષણની સાથે શરૂ થયેલી બજેટ પ્રક્રિયા પૂરી થઇ ગઇ. વિધેયક હવે રાજ્યસભામાં મોકલવામાં આવશે જ્યાંથી પસાર કરીને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે.

English summary
Financial Bill moved for consideration in Lok Sabha. Financial Bill moved for consideration in Lok Sabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X