સોનાની તસ્કરી મામલે એક ક્રિકેટર સહીત 4 લોકોની ધરપકડ
શનિવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર લોકોની સોનાની તસ્કરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
શનિવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર લોકોની સોનાની તસ્કરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ ચાર લોકોમાં એક કેનેડાનો 22 વર્ષનો ક્રિકેટર પણ છે. આ લોકો 5.2 કિલો સોનાની તસ્કરી કરતા પકડાઈ ગયા છે, જેની કિંમત 1.7 કરોડ રૂપિયા છે. અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ધરપકડ કરવામાં આવેલા લોકો એક જ પરિવારના છે અને પંજાબના લુધિયાણામાં તેમની સોનાની દુકાન છે. આ લોકો બેંકોકથી આવતા પકડાઈ ગયા.
આ પણ વાંચો: 5 કન્ટેનરમાં 100 ક્વિંટલ ચાંદી ભરીને લઇ જવામાં આવી રહી હતી

પહેલા પણ તસ્કરી કરી ચુક્યા છે
ધરપકડ કરવામાં આવેલા લોકોમાં એક ક્રિકેટર પણ છે. જેના પિતાએ માન્યું કે તેઓ પહેલા પણ આટલા સોનાની તસ્કરી કરી ચુક્યા છે. અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ધરપકડ કરવામાં આવેલા ક્રિકેટર મામિક લુથરા એક ઓલરાઉન્ડર છે અને વર્ષ 2016 દરમિયાન કેનેડા તરફથી અંડર 19 વર્લ્ડ કપ રમી ચુક્યો છે. મામિક પાસે કેનેડાની નાગરિકતા છે, જયારે તેના માતાપિતા અને માસી પાસે ભારતીય પાસપોર્ટ છે અને તેઓ ભારતીય નાગરિક છે.

એક્સ રે મશીનમાં સોનાના બિસ્કિટ પકડવામાં આવ્યા
એક કસ્ટમ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે ચાર લોકોને ચેકીંગ માટે રોક્યા. ખરેખર એક્સ રે મશીનમાં તેમને બેગમાં કંઈક શંકાસ્પદ દેખાઈ આવ્યું. ચેક કરવા પર તેમને એક એક કિલોના પાંચ સોનાના બિસ્કિટ મળ્યા. તેની સાથે 218 ગ્રામનો સોનાનો એક કટ પીસ પણ મળી આવ્યો.

ચારે આરોપીઓ ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા
આરજીઆઈ એરપોર્ટની જોઈન્ટ કમિશ્નર અનુભા સિન્હા ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે પકડી પાડેલું સોનુ સીઝ કરી લીધું છે. ચારે આરોપીઓને મેજેસ્ટ્રેટ સામે હાજર કરવામાં આવ્યા અને તેમની જામીન કેન્સલ થઇ ગઈ. એક અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચારે આરોપીઓને ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યા છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ






Click it and Unblock the Notifications
