ATM માંથી મહિનામાં 5 વખત લેણદેણ બાદ લાગશે ચાર્જ
નવી દિલ્હી, 1 નવેમ્બર: એટીએમનો મહિનામાં પાંચથી વધુ વખત પૈસા નિકળવા અથવા કોઇ અન્ય ઉદ્દેશ્યથી તેનો ઉપયોગ કરવાથી આજથી ચાર્જ લાગશે. એટીએમમાંથી પાંચથી વધુ વખત લેણદેણ બાદ પ્રત્યેક વખત 20 રૂપિયાનો ચાર્જ લગાવવામાં આવશે.
તેમાં બેલેંસની જાણકારી માટે કરવામાં આવતા ઉપયોગનો પણ સમાવેશ થશે. રિઝર્વ બેંકના નવા દિશાનિર્દેશોના અનુસાર આ ચાર્જ લાગૂ કરવામાં આવી રહ્યો છે. આ નિર્દેશોના અનુસાર જે બેંકોમાં ગ્રાહકોના બચત કે કરન્ટ એકાઉન્ટ છે, તેમના એટીએમ દ્વારા મહિનામાં પાંચ વખત જ નિ:શુલ્ક જ લેણદેણ કરી શકાશે.
છ મહાનગરો દિલ્હી, મુંબઇ, ચેન્નઇ, કલકત્તા, હૈદરાબાદ તથા બેંગ્લોરમાં એટીએમમાંથી પૈસા કાઢવા અથવા બિન નાણાકીય વ્યવહારો મિની સ્ટેટમેંટ કાઢવાની સુવિધા હવે મહિનામાં ફક્ત પાંચ વખત મળશે. ત્યારબાદ એટીએમના ઉપયોગ પર પ્રત્યેક વખતે 20 રૂપિયાનો ચાર્જ લાગશે.

આ ઉપરાંત જે બેંકોમાં ગ્રાહકોના ખાતા નથી, તેમના એટીએમનો ઉપયોગ પણ મહિનામાં નિ:શુલ્ક ફક્ત ત્રણ વખત કરી શકાશે. અત્યાર સુધી આ સુવિધા મહિના પાંચ વખત મળતી હતી.
રિઝર્વ બેંકે આ વર્ષ ઓગષ્ટમાં જાહેર કરેલા જાહેરનામામાં કહ્યું હતું ''એટીએમના ઉંચા દર, બેંક શાખાઓ તથા ગ્રાહકોની પાસે હાલના ચૂકવણીના વૈકલ્પિક સ્ત્રોતોને ધ્યાનમાં રાખતાં અન્ય બેંકોના એટીએમમાંથી માસિક નિ:શુલ્ક લેણદેણની સીમા પાંચથી ઘટાડીને ત્રણ કરવામાં આવી રહી છે. તેમાં નાણાકીય અને બિન નાણાકીય બંને પ્રકારોને લેણદેણ સામેલ હશે.''
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
