ભાજપમાં આશાનું નવું ‘કિરણ’, સિંહનો પણ પ્રવેશ
નવી દિલ્હી, 10 જાન્યુઆરીઃ અણ્ણાના સહયોગી અરવિંદ કેજરીવાલે તેમનો સાથ છોડીને નવી પાર્ટી બનાવી લીધી. અરવિંદ કેજરીવાલ બાદ હવે અણ્ણાના અન્ય સહયોગી કિરણ બેદી અને જનરલ વીકે સિંહ પણ તેમનો સાથ છોડવાના છે. મળતી માહિતી અનુસાર કિરણ બેદી અને જનરલ વીકે સિંહ ભાજપમાં સામેલ થશે.

આ પહેલી વાર છે કે કિરણ બેદીએ સાર્વજનીક રીતે મોદીનું સમર્થન કર્યું છે. કિરણ બેદીએ આ વાત એક ખાનગી ચેનલને જણાવી છે. બાદમાં તેમણે ટ્વીટ કરીને પણ મોદીને મત આપવા માટે સાર્વજનીક જાહેરાત કરી છે. તેમણે કરેલા ટ્વીટ કર્યુ કે મારા માટે ભારત સૌથી પહેલા. સ્થિર, સુશાસિત, પ્રશાસિત, જવાબદેહ અને બધાનો સાથ. એક સ્વતંત્ર મતદાતા તરીકે મારો મત નમોને. કિરણ બેદીનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે, કારણ કે મીડિયામાં એવા સમાચાર આવી રહ્યાં છે કે, પૂર્વ સેનાધ્યક્ષ વીકે સિંહ ટૂંક સમયમાં ભાજપમાં સામેલ થઇ શકે છે.












Click it and Unblock the Notifications
