જમ્મુ કાશ્મીરઃ એલઓસી પાસેના વિસ્તારોમાં ભીષણ હિમસ્ખલન, 4 જવાન ગાયબ
ઉત્તર કાશ્મીરના બે વિસ્તારોમાં મંગળવારે થયેલ ભીષણ હિમસ્ખલનમાં ઘણા જવાન ગાયબ થવાના સમાચાર છે.
ઉત્તર કાશ્મીરના બે વિસ્તારોમાં મંગળવારે થયેલ ભીષણ હિમસ્ખલનમાં ઘણા જવાન ગાયબ થયાના સમાચાર છે. હિમસ્ખલનની આ ઘટનાઓ કુપવાડા અને બાંદીપોરા જિલ્લાઓમાં થઈ છે. ગાયબ જવાનોની શોધમાં સેનાની એઆરટીને લગાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક જવાન શહીદ થઈ ગયા છે. ત્રણ જવાન ગાયબ છે જ્યારે ચારને સુરક્ષિત બહાર કાઢીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ગાયબ જવાનોની શોધમાં મોટાપાયે સર્ચ ઑપરેશન કરવામાં આવી રહ્યુ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ મંગળવારે હિમસ્ખલનની બે ઘટનાઓ બાંદીપોરાના ગુરેજ સેક્ટર અને કુપવાડા જિલ્લાના કરનાહ સેક્ટરમાં થઈ છે. આ બંને વિસ્તારો ઉત્તર કાશ્મીર અંતર્ગત આવે છે. 18 હજાર ફૂટથી વધુ ઉંચાઈ પર થયેલ હિમસ્ખલનમાં 4 જવાનો ગાયબ થયાની વાત કહેવામાં આવી રહી છે. જવાનોની શોધ માટે સેનાએ એવલૉન્ચ રેસ્ક્યુ ટીમ અને સેનાના હેલીકૉપ્ટરો લગાવ્યા છે. જો કે હજુ સુધી સેનાએ આ આખા ઑપરેશન વિશે કોઈ નિવેદન જારી કર્યુ નથી.
એસએસપી શ્રીરામ દિનકરે જણાવ્યુ કે ચાર જવાન હિમસ્ખલનમાં દબાઈ ગયા હતા. એક જવાનનુ શબ મેળવી લેવાયુ છે. એકને સુરક્ષિત બહાર કાઢીને હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો છે જ્યારે એક જવાન હજુ પણ ગાયબ છે. હિમસ્ખલનની સૂચના મળ્યા બાદ સેનાએ બચાવ અભિયાન માટે બચાવ દળને તૈનાત કરી દીધા છે. ગાયબ જવાનોને શોધવા માટે સેનાના હેલીકૉપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે.
આ પહેલા 30 નવેમ્બરના રોજ દક્ષિણ સિયાચિન ગ્લેશિયરમાં લગભગ 18,000 ફૂટની ઉંચાઈ પર સ્થિત સેનાનુ પેટ્રોલિંગ દળ શનિવારે હિમસ્ખલનની ઝપટમાં આવી ગયુ હતુ. આમાં સેનાના બે જવાન શહીદ થઈ ગયા હતા. વળી, નવેમ્બરના મહિનામાં સિયાચિન ગ્લેશિયરમાં આવેલ હિમસ્ખલનમાં ચાર જવાન શહીદ થઈ ગયા હતા. બે પૉર્ટરોના પણ મોત થઈ ગયા હતા. બાદમાં થયેલી અન્ય ઘટનામાં બે સૈનિક શહીદ થઈ ગયા હતા.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
