Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જોરશોરથી ઈન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલનો પ્રારંભ, જાણો યોગાના ચમત્કારિક ફાયદા

જોરશોરથી ઈન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલનો પ્રારંભ, જાણો યોગાના ચમત્કારિક ફાયદા

દેહરાદૂનઃ ઉત્તરાખંડના ઋષિકેશમાં રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનો આરંભ થયો જેમાં 11 દેશ અને 9 રાજ્યોના યોગાચાર્ય, શિક્ષક અને પ્રેમી ભાગ લઈ રહ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંયુક્ત રૂપે મુનિની રેતી સ્થિત ગંગા રિસોર્ટમાં 7 દિવસીય યોગ મહોત્સવનો દીપ પ્રજ્જવલિત કરી શુભારંભ કર્યો, સીએએ રાવતે કહ્યું કે યોગના વિશ્વવ્યાપી ઓળખ અપાવવામાં પીએમ મોદીની ખાસ ભૂમિકા રહી છે, ઉત્તરાખંડને યોગનું કેન્દ્ર અને ઋષિકેશને વિશ્વ યોગના કેન્દ્ર બિંદુના રૂપમાં સ્થાપિત કરવા માટે સરકારે વ્યાપક સ્તર પર કાર્ય કર્યું છે અને હવે યોગને પર્યટન સાથે જોડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

યોગ શું છે?

યોગ શું છે?

યોગ શબ્દના બે અર્થ છે અને બંને મહત્વપૂર્ણ છે, પહેલો છે- જોડ અને બીજો છે સમાધી. જ્યાં સુધી આપણે સ્વયંથી નથી જોડાતા, સમાધી સુધી પહોંચવામાં કઠિન થશે, ઓશોએ કહ્યું હતું કે યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી કંઈક વધુ છે.

યોગના ચમત્કારિક ફાયદા

યોગના ચમત્કારિક ફાયદા

  • સુંદર ત્વચા અને ચમકીલા વાળો માટે પ્રાણાયામ યોગનું મહત્વપૂર્ણ અંગ છે. અગાઉ તણાવ ઘટે છે અને રક્તમાં ઑક્સીજનનો સંચાર વધે છે, જેનાથી રક્ત સંચારમાં સુધારો થાય છે.
  • ઉત્તાનાસન, ઉત્કટાસન, શીર્ષાસન, હલાસન તથા સૂર્ય નમસ્કાર આંતરિક અને બાહરી સૌંદર્યને નિખારવામા મહત્વની ભૂમિકા અદા કરે છે.
  • યોગથી માત્ર માંસપેશિઓ જ સુદ્રઢ નથી થતી બલકે શરીરમાં પ્રાણશક્તિ વધે છે અને નાડી તંત્રને સંતુલન મળે છે. યોગ માનસિક તણાવથી મુક્તિ પ્રદાન કરે છે અને માનસિક એકાગ્રતા પ્રદાન કરે છે.
  • યોગથી શ્વાસ પર નિયંત્રણ પ્રાપ્ત કરવામાં આવી શકે છે અને યોગ ક્રિયા દરમિયાન શ્વાસ છોડવા અને શ્વાસ ખેંચવાની વિસ્તૃત વૈજ્ઞાનિક પ્રક્રિયા અપનાવવામાં આવે છે જેનાથી શરીરમાં પ્રાણ વાયુનો સંચાર થાય છે.
આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનો આરંભ

આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનો આરંભ

  • આ સૌંદર્ય માટે અતિ આવશ્યક છે કેમ કે આનંદનો અહેસાસ જ શારીરિક સૌંદર્યનો અનિવાર્ય ભાગ છે. યોગથી રક્ત સંચારમાં સુધારો આવે છે જેના કારણે ત્વચાના બાહરી ભાગ સુધી રક્ત સંચારમાં વધારો થાય છે. યોગ ત્વચામાં વિષૈલે પદાર્થોને બહાર કાઢવામાં પણ મદદ મળે છે.
  • આનાથી ત્વચામા રંગત આવે છે, ઑક્સીજનનો સંચાર થાય છે, સુંદર આભાનો સંચાર થાય છે.
યોગથી તણાવ ઘટે છે

યોગથી તણાવ ઘટે છે

  • યોગથી તણાવ ઘટે છે, જેનાથી તણાવના કારણે થનાર રોગ જેવા વાળ ખરવા જેવી સમસ્યાથી છૂટકારો મળે છે.
  • યોગનો મસ્તિષ્ક, ભાવનાઓ અને મનોદશા પર સીધો પ્રભાવ પડે છે.
  • હકીકતમાં યોગ નિયમિત રૂપે તણાવ ઘટાડે છે, તમારી ત્વચામાં નિખાર લાવે છે.
  • યોગથી તમે તત્કાળ યૌવનને તાજગી તથા શ્રેષ્ઠ મૂડનો અહેસાસ કરશો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X