રમઝાન દરમિયાન યુપીમાં રમખાણ કરાવી શકે છે ISI
લખનઉ, 4 જુલાઇ: ઉત્તર પ્રદેશ પોલીસે મીડિયાના માધ્યમથી રાજ્યની જનતાથી અપીલ કરી છે કે રમઝાન દરમિયાન જો એવી વાત આવે જેનાથી કોમી રમખાણ ફાટી નીકળે, તો તેને ગણકારવું નહીં કારણ કે તે માત્ર અફવા હોઇ શકે છે. આવી અફવાહને ફેલાવવાનું કામ કોઇ બીજું નહીં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ કરી શકે છે.
આ આશંકાને ધ્યાનમાં રાખી મુઝફ્ફરનગર સહીત યુપીના ઘણા સંવેદનશીલ શહેરોમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં થયેલા રમખાણ બાદ રાહત શિબિરો સુધી પહોંચેલી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ રમઝાનના મહીનામાં રોઝેદાર અને નમાઝીઓની વચ્ચે ના પહોંચે તેના માટે એટીએસ વિભિન્ન ગુપ્તચર એજન્સીઓની સાથે મળીને તેમની ગતિવિધિયો પર ધ્યાન રાખી રહ્યું છે.
પોલીસે મુઝફ્ફરનગર, મુરાદાબાદ, સહારનપુર, મેરઠ, શામલી, મુઝફ્ફરનગર, રામપુર, આગરા અને હાપુડને ખૂબ જ સંવેદનશીલ જાહેર કરી દેવામાં આવ્યા છે.
વધુ સમાચાર વાંચો સ્લાઇડરમાં...

સાવચેત રહેવું
યુપીના 22 જિલ્લામાં સક્રિય આઇએસઆઇ
યુપી સરકારની માનીએ તો રાજ્યના 22 જનપદોમાં આઇએસઆઇ સક્રિય છે. એટલું જ નહીં કુલ 34 જનપદ એ દ્રષ્ટિકોણથી બતાવવામાં આવ્યા છે. જ્યારે આઇબીએ પણ હાલમાં જ રાજ્ય સરકારોને આતંકી હુમલાને લઇને એલર્ટ કર્યા હતા. જેમાં ધાર્મિક સ્થળો અયોધ્યા, મથુરા અને કાશી ઉપરાંત ભીડભાડવાળા સ્ટેશનો અને બજારો પર પણ સતર્કતા રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

નામ પૂછ્યું અને મારી દીધી ગોળી
મુઝફ્ફરનગર રમખાણ બાદ હજી પણ પશ્તિમી ઉત્તર પ્રદેસના સહારનપુરથી લઇને મેરઠ સુધી ઘણી નાની મોટી ઘટનાઓ સામે આવી છે. જેમાં રાહગીરોને નામ પૂછીને મારી દેવામાં આવ્યા છે. આવું માત્ર હિન્દુ અને મુસલમાનોની સાથે જ બન્યું છે. આ ખુલાશો ત્યારે થયો જ્યારે સહારનપુર, મેરઠ, શામલી, મુઝફ્ફરનગર અને હાપુડમાં થયેલી ઘટનાઓમાં જાન બચાવીને ભાગનારાઓએ આપી છે.

એસટીએફ થયું સક્રિય
ત્યારબાદ ઉત્તર પ્રદેશ પોલીસે આનાથી ઉગરવા માટે તમામ જિલ્લાના એસપી ક્રાઇમ અને એટીએસને સક્રિય કરી દીધું. મસ્જિદો અને મદરેસામાં થનારી હઝાન અને ઝુમ્માની નમાઝમાં એવા લોકો પર નઝર લગાવી બેઠા છે, જેના માટે ગામના ચોકીદાર અને સ્થાનીય સૂત્રોને સક્રિય કરવામાં આવ્યા છે.

પોલીસ મહાનિરીક્ષ કાનૂન વ્યવસ્થા
અમરેન્દ્ર સિંહ સેંગરે જણાવ્યું કે આવા માહોલ સામે નિપટવા માટે એટીએસને સક્રિય કરી દીધું છે. તેમણે જણાવ્યું કે ઇફ્તાર પાર્ટીઓમાં શંકાસ્પદો પર એટીએસ પોતાની બાજ નજર બનાવી રાખી છે.

સુરક્ષામાં વધારો
પ્રદેશમાં સમય-સમય પર આઇબીની એલર્ટ છે. સાચું પૂછો તો આ અખિલેશ સરકાર માટે આ સમયની સૌથી મોટી જવાબદારી છે.
-
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં










Click it and Unblock the Notifications
