રાજીવ ગાંધીના હત્યારાઓને ફાંસી ન આપો: પૂર્વ ન્યાયાધીશ
તિરૂવનંતપુરમ, 25 ફેબ્રુઆરી: રાજીવ ગાંધીના હત્યારાઓને મૃત્યુંદંડ સંભળાવનારી કોર્ટની એક પીઠના અધ્યક્ષ કે ટી થોમસે રવિવારે કહ્યું હતું કે આ કેસના આ ચાર આરોપીઓને ફાંસી આપવી ન જોઇએ.
કે ટી થોમસે કહ્યું હતું કે દોષી મુરૂગન, સંથન અને પેરારિવલન જેલમાં 22 વર્ષ ગુજારી ચૂક્યાં છે, માટે તેમને ફાંસી આપવાનો મતલબ એમ થશે કે એક ગુના માટે બે વાર સજા આપવી. ત્રણેય કેદી તમિલનાડુના વેલ્લોર જેલમાં બંધ છે.
કે ટી થોમસે પત્રકારોને જણાવ્યું હતું કે જેલમાં 22 વર્ષ વિતાવ્યા બાદ જો દોષીઓને મોતની સજા આપવામાં આવે છે તો આ એક રીતે એક ગુનામાં બે વાર સજા સંભળાવવા બરાબર ગણાશે. આ બંધારણ વિરૂદ્ધ છે. તેમને રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીને આ દોષીઓની દયાની અરજી રદ કરવાના નિર્ણય પર ફરીથી વિચારણા કરવાની નમ્ર અપીલ કરી છે.
કે ટી થોમસે કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ આ મુદ્દે ફરીથી વિચારણા કરવી જોઇએ, કારણે ત્રણેય આજીવન કારાવાસની સજાથી વધુ દિવસ સજા ભોગવી ચૂક્યાં છે. વર્ષ 1999માં સુપ્રીમ કોર્ટેની ત્રણ જજોની પીઠે મુરૂગન, સંથન, પેરારિવલન અને મુરૂગનની પત્ની નલિનીને મૃત્યુંદંડની સજા સંભળવી હતી. પીઠમાં ન્યાયાધીશ કે ટી થોમસ, ન્યાયમૂર્તિ ડીપી વાઘણ અને એસએસએમ કાદરી સામેલ હતા.

કે ટી થોમસે નલિનીને મૃત્યુદંડ સંભળાવવાની અસહમતિ દર્શાવી હતી. પછી રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે નલિનીની દયા અરજી મંજૂર કરી લીધી હતી અને તેમની સજાને આજીવન કારાવાસમાં ફેરવી દિધી હતી. પેરારિવલન અને મુરૂગન ભારતીય છે, તો બીજી સંથન શ્રીલંકાઇ નાગરિક છે.
તમિલ ટાઇગરની મહિલા આત્મધાતી ટુકડીએ 21 મે 1991ના રોજ ચેન્નઇ નજીક એક ચુંટણી રેલીમાં રાજીવ ગાંધીની હત્યા કરી હતી. ચારેય આરોપીઓ પર હત્યામાં મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજીવ ગાંધી હત્યાકાંડમાં તમિલ ટાઇગર પ્રમુખ વેલુપિલ્લૈ પ્રભાકરણ પણ વાંછિત હતો તેને 2009માં શ્રીલંકા મારી નાખવામાં આવ્યો હતો.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
